નર્મદાના પાણીને લઇ સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણીએ કહ્યું કે, નર્મદાનું પાણી ગુજરાતને પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે અને સરકાર પીવાના પાણીને લઇને ચિંતિત પણ છે. સીએમએ કહ્યું કે, નર્મદા ડેમમાં પૂરતું પાણી છે. પરંતુ જો મધ્ય પ્રદેશ સરકાર પાણી નહીં છોડે તો ખેડૂતોને નુકસાન થશે.