પાટણ યુનિવર્સિટીમાં માર્કશીટમાં કૌભાંડ મામલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે કૌભાંડનો મુદ્દે સમગ્ર ગુજરાતમાં ચર્ચાયો છે. તેવામાં હવે આ ગેરરીતિનો મામલે CM રૂપાણીએ કડક શબ્દોમાં નિવેદન આપ્યુ છે.
HNGUમાં ખોટી રીતે પાસ કરવાનો મામલો
સરકારે ગંભીરતાથી લીધી નોંધ
કોઈપણ ચમરબંદીને છોડીશું નહીં
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBS વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાવાનો મામલો સામે આવ્યો છે. MBBSમાં પહેલા વર્ષની રિએસેસમેન્ટની સીટ સામે આવી છે. જેમાં લાગવગીયા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલીને પાસ કરાયા હતા. બાયો કેમેસ્ટ્રી, એનાટોમી વિષયમાં વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયા હતા. ત્યારે રીએસેસમેન્ટમાં પાસ કરાવવામાં કુલપતિ જે.જે.વોરાની સંડોવણીની આશંકા છે. પહેલા વર્ષની પરીક્ષાની મુખ્ય ઉત્તરવહીઓ બદલાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. રીએસેસમેન્ટ પછી માર્ક મુકવામાં આવ્યા તેમાં વિસંગતતા જોવા મળી રહી છે. તેવામાં હવે આ મામલો વધુ મોટો બનતા મુખ્યમંત્રીએ પણ નિવેદન આપ્યું છે.
શું કહ્યુ CM રૂપાણી?
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે. કોઈપણ ચમરબંદીને છોડવામાં નહીં આવે. ગુનેગાર હશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. કુલપતિ કે સેનેટ સભ્ય કોઈને છોડવામાં નહીં આવે. રાજકીય પક્ષનો માણસ હશે તો પણ છોડાશે નહીં.
ઓનલાઇન વેબસાઇટ પરથી તમામ પરિણામો હટાવાયા
ઓનલાઇન વેબસાઇટ પરથી તમામ પરિણામો હટાવાયા છે. વર્ષ 2020 સિવાયના તમામ પરિણામો હટાવાયા છે. પરિણામો હટાવતા MBBS પાસ થયેલાઓમાં કૌભાંડની શંકા સેવાઈ રહી છે. કુલપતિ ડૉ. જે.જે. વોરાની વધુ એક શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. રીએસેસમેન્ટમાં ગુણ સુધારી પાસ કર્યા હોવાની શંકાઓ થઈ રહી છે. કથિત ગેરરીતિ સામે આવ્યા બાદ પરિણામો હટાવાયા છે.
સમગ્ર તપાસ પંકજ કુમારને સોંપાઇ
પાટણની યુનિવર્સિટીમાં માર્કશીટ કૌભાંડ મામલે હવે સમગ્ર તપાસ પંકજ કુમારને સોંપાઇ છે. પહેલા નાગરાજનને તપાસ સોંપાઇ હતી. જો કે નાગરાજનને ચૂંટણીની જવાબદારી હોવાથી પંકજ કુમારને તપાસ સોંપવામાં આવી છે. ત્યારે આ મામલે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે કોઇને છાવરવાના નથી અને કઇ છુપાવવાનું નથી. સીએમ રૂપાણીએ આ વાત ગંભીરતાથી લીધી છે. દોષિતો સામે કાયદા અનુસાર પગલા લેવાશે.