કોરોનાની વેક્સિનને મંજૂરી બાદ આજે કેન્દ્ર સરકારે દરેકને ફ્રી કો વેક્સિનની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં પણ સીએમ રૂપાણીએ ગુજરાતીઓને આ અંગે વેક્સિન અપાશે તેવું નિવેદન આપ્યું હતુ.
ફ્રી વેક્સિનની ઘોષણા પર CM રૂપાણીનું નિવેદન
કેન્દ્ર સરકારે દેશમાં ફ્રી વેક્સિનની જાહેરાત કરી છે: CM
US-UKમાં રૂ.3 હજારમાં ફાઇઝર વેક્સિન અપાઇ છે: CM
ફ્રી વેક્સિનની ઘોષણા પર CM રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. CM રૂપાણીએ આ મામલે જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારે દેશમાં ફ્રી વેક્સિનની જાહેરાત કરી છે. US-UKમાં રૂ.3 હજારમાં ફાઇઝર વેક્સિન અપાઇ છે. ભારતમાં તમામ લોકોને ફ્રી માં વેક્સિનની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાના નવા સ્ટ્રેનના દર્દીઓ વિશે મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, આઇસોલેટ કરાયા છે. સ્ટ્રેનથી બીજા લોકોને અસર થતી નથી. અન્ય લોકોમાં સંક્રમણ ન ફેલાય તેનું ધ્યાન રાખીશું.
CM રૂપાણી પંચમહાલના ગોધરામાં 705 કરોડથી વધુના કાર્યોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કર્યુ હતુ. CM રૂપાણીના હસ્તે 136 કરોડની યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. CM રૂપાણી હારેડા પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મોરવાના 51 ગામોને પાણી મળશે. હારેડા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણી મળશે. CM રૂપાણી પાનમ જલાશ્રય યોજનાનું પણ લોકાર્પણ કર્યુ હતુ.
શું કહ્યું કેન્દ્ર સરકારે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને GTB હોસ્પિટલ જઈને તૈયારીઓનો રિવ્યૂ કર્યો. તેમણે કહ્યું કે, અફવા પર ધ્યાન ન આપશો. સુરક્ષિત અને સરકારક વેક્સિન અમારી પ્રાથમિકતા છે. પોલીયોના વેક્સિનેશન વખતે પણ ઘણી અફવાઓ ફેલાવાઈ હતી, પણ લોકોએ વેક્સિન લગાવડાવી અને આજે દેશ પોલિયો મુક્ત થઈ ચૂક્યો છે.સાથે જ સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- વેક્સિન દિલ્હીમાં નહીં પણ આખા દેશમાં ફ્રીમાં લગાડવામાં આવશે
#WATCH | Not just in Delhi, it will be free across the country: Union Health Minister Dr Harsh Vardhan on being asked if COVID-19 vaccine will be provided free of cost pic.twitter.com/xuN7gmiF8S