ફાયર સેફ્ટીને લઈને કોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયા બાદ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં તમામ જગ્યાએ ફાયર સેફ્ટીનું NOC ફરજિયાત હોવાનો નિર્ણય કર્યો છે.
6 મહિને ફાયર સેફ્ટી NOC રિન્યુઅલ કરાવવું પડશે
450 રેસ્ટોરન્ટ પાસે ફાયર સેફટીનું NOC નથી
સેફ્ટી અંગે થઈ હતી હાઈકોર્ટમાં અરજી
રાજ્યમાં હાઈરાઈઝ બિલ્ડીંગો, વાણિજ્યક સંકુલ, સ્કૂલો, કોલેજ, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમો માટે NOC ફરજિયાત કરી દીધી છે અને દર 6 મહિને ફાયર સેફ્ટી NOC રિન્યુઅલ કરાવવું પડશે. તેના માટે રાજ્યમાં ખાસ ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂક કરાશે. સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરોની પેનલ બનાવાશે.
સેફ્ટી અંગે થઈ હતી હાઈકોર્ટમાં અરજી
હાઈકોર્ટમાં ફાયર સેફ્ટી અંગે થયેલી અરજીના મામલે હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી હાથ ધરાઇ હતી. હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીનો અમલ ન થતું હોવાની અરજી કરાઇ હતી. કોર્ટે આ મુદ્દે સરકારને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો. કોર્ટેમાં ચીફ ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે સોગંદનામુ રજૂ કર્યો છે.
શું છે રિપોર્ટમાં?
1200 હોટેલ-રેસ્ટોરન્ટમાંથી 450 રેસ્ટોરન્ટ પાસે ફાયર સેફટીનું NOC ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. 700 જેટલી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ન હોવાનો સોગંદનામાંમાં ઉલ્લેખ છે તેમજ 185 ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી ન હોવાનો સોગંદનામાં ઉલ્લેખ઼ કરાયો છે.
શું કહ્યું હતુ અદાલતે?
ફાયર સેફ્ટીને લઇ હાઇકોર્ટે સરકારને ટકોર કરતા જણાવ્યું છે કે, હોસ્પિટલ,રેસ્ટોરન્ટ, ટ્યુશન ક્લાસ સાથે અન્ય ઇમારતોમાં પણ ફાયર સેફ્ટીનું પાલન થવું જરૂરી છે. ફાયર સેફ્ટીને લઇ અન્ય ઇમારતોમાં પણ એટલું જ ધ્યાન અપાવું જોઇએ. ફાયર સેફ્ટી મુદ્દે વધુ સુનાવણી આગામી દિવસમાં હાથ ધરાશે.