અર્નબ ગોસ્વામીની ધરપકડ મામલે હવે રાજકારણમાં તરખાટ, એક પછી એક નેતાઓ કરી રહ્યા છે ટ્વીટ જાણો શું કહ્યું CM રૂપાણીએ?
મુંબઈમાં અર્નબ મામલે ઘમાસાણ
CM રૂપાણીએ પણ કર્યુ આ મુદ્દે ટ્વીટ
જાણો શું છે મામલો?
મુંબઈમાં રિપબ્લિક ટીવીના અર્નબ ગોસ્વીમીને પગલે રાજકારણમાં ભડકો થયો છે. સીએમ રૂપાણી સહિતના અગ્રણી નેતાઓએ પણ આ મામલે મહારાષ્ટ્ર સરકારને ટકોર કરતી ટ્વીટ કરી છે. અને ઈન્દિરા ગાંધીએ જયારે દેશમાં કટોકટી લાગુ કરી હતી તે ઘટનાને યાદ કરીછે.
વિજય રૂપાણીનું ટ્વીટ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અર્નબ ગોસ્વાનીની ધરપકડનો વિરોધ નોંધાવ્યો છે. વિજય રૂપાણી ટ્વીટ કરીને લખ્યું છે કે, "મહારાષ્ટ્ર સરકારે પોલીસને મોકલીને બળજબરીથી ઘરમાં ઘૂસીને અર્નબ ગોસ્વામી પર જે હુમલો કર્યો છે તે ખરેખર નિંદાપાત્ર છે. મહારાષ્ટ્ર સરકારે ઇન્દિરા ગાંધીના કાળા દિવસોની યાદ અપાવી દીધી છે. સરમુખત્યારશાહીને અનુસરતી કૉંગ્રેસ એ જ છે જેવી 1975માં હતી."
महाराष्ट्र सरकार ने मुंबई पुलिस को भेज कर जबरन घर में घुसकर अर्नब गोस्वामी पर जो हमला किया है वह निंदनीय है।
महाराष्ट्र सरकार ने इंदिरा गांधी वाले काले दिनों की याद दिला दी है, तानाशाही को फोलो करने वाली कांग्रेस वही है जो 1975 में थीं ।@Republic_Bharat@republic@PIB_India
ઉલ્લેખનીય છે કે 1975ના વર્ષમાં તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટોની જાહેરાત કરી હતી. આ દરમિયાન અનેક નેતાઓને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને લોકશાહી માટે કાળી ટીલી સમાન ગણવામાં આવે છે.
શું છે મામલો?
પત્રકાર અર્નબ ગોસ્વામી અને બે અન્ય પર આરોપ છે કે તેઓએ ઇન્ટિરિયર ડિઝાઇનરને કથિત રીતે તેની બાકી રકમ નહીં ચૂકવી, જેના કારણે 53 વર્ષીય આ ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવી પડી. આ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્ર સરકારે આ કેસની સીઆઇડી દ્વારા ફરીથી તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા.