વાત વાવાઝોડાની હોય કે પૂરની, વાત આગની હોય કે ધરતીકંપની ગુજરાતે તેમાંથી ઓછામાં ઓછા નુકસાને પાર ઉતરવાનું શીખી લીધું છે. જેનો શ્રેય જેટલો રાજ્યના નાગરિકોને જાય છે તેટલો જ શ્રેય સરકારના કુશળક્ષમ મેનેજમેન્ટને પણ જાય છે.
બદલાઈ રહેલા પર્યાવરણના સ્વરૂપમાં ટૂંકા ટૂંકા ગાળે આવતી કુદરતી આફત એ નવો પડકાર બની ગયો છે. પરંતુ ભૂતકાળમાં ભૂકંપનો મોટો મારા ઝીલેલા ગુજરાતે હવે કુદરતી આફત (Natural disaster) ને અવસરમાં પલટવાનું શીખી લીધું છે. વાત વાવાઝોડાની હોય કે પૂરની, વાત આગની હોય કે ધરતીકંપની ગુજરાતે તેમાંથી ઓછામાં ઓછા નુકસાને પાર ઉતરવાનું શીખી લીધું છે. જેનો શ્રેય જેટલો રાજ્યના નાગરિકોને જાય છે તેટલો જ શ્રેય સરકારના કુશળક્ષમ મેનેજમેન્ટને પણ જાય છે. ત્યારે જોઈએ આફતને અવસરમાં પલટતા રાજ્યના નાયકની જહેમતનો આ અહેવાલ.
માત્ર આફતના જ નહીં પરંતુ સાહસ અને મહેનતના બળે આફતને અવસરમાં પલટી દેવાની કુનેહના પણ દર્શન થશે. 2017માં જ્યારે બનાસકાંઠામાં ભયાનક પૂર આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી માત્ર ઓફિસમાં બેઠા રહીને આપત્તિની સમીક્ષા ન હોતા કરતાં પરંતુ તેમણે પૂરમાં ફસાયેલા નાગરિકોના હમદર્દ બનીને લોકોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને પ્રજાના હમદર્દ બનીને તેમની વેદના પણ સાંભળી હતી.
રાજ્યનાં નાયક બન્યા જનતાના સેવકઃ
ઉપરાંત અમદાવાદના નિકોલ વિસ્તારમાં 2017ના વર્ષમાં આવેલા પૂર વખતે પણ જનતાના નાયક હોવાના નાતે વિજય રૂપાણી જનતા વચ્ચે જઈ ચડ્યાં. તેમણે એસી ગાડી છોડીને બોટમાં સવાર થઈ જનતા જનાર્દનની વેદના સમજવાનો પ્રયાસ કર્યો હતો. તો આ ત્રીજી વખત રાજ્યના નાગરિકોની ચિંતા કરતી સરકારના પ્રયાસોમાં હજુ થોડા મહિના પહેલા વાયુ વાવાઝોડું ગુજરાતને દસ્તક દઈ રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) પોતાના અધિકારીઓ સાથે વાવાઝોડાં સામે રક્ષણની દીવાલ ઊભી કરવાનો પ્લાન બનાવી રહ્યાં હતાં. એ આફતો હજુ વિસરાઈ નથી ત્યાં ગઈ કાલે વડોદરામાં આકાશમાંથી આફત ત્રાટકી. પરંતુ આફત સામે લડવાનું સારી પેઠે જાણનારી સરકારને તેનો અંદાજો કદાચ વહેલો આવી ગયો હશે. એક તરફ વડોદરા પર મેઘો કહેર બની રહ્યો હતો તો બીજી તરફ મોડી રાત સુધી ગાંધીનગરના સ્ટેટ ફ્લડ કંટ્રોલરૂમમાં સાચા પ્રજાનાયક જેવા વિજય રૂપાણી રાહત અને બચાવનો પ્લાન ઘડી રહ્યાં હતાં.
સાગર કાંઠે વસેલા ગુજરાત પર હંમેશા કુદરતી આફતો ઝળુંબતી રહે છે. પરંતુ ગુજરાતનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર હવે ઘણું સાવધ થઈ ગયું છે. 2001માં કચ્છમાં આવેલા ભૂંકપ બાદ ગુજરાતે આફતો સામે ઝઝુમવાનું શીખી લીધું છે અને આફતને અવસરમાં પલટવાનું પણ શીખી લીધું છે. આ વાતનો શ્રેય જેટલો રાજ્ય ખમીરવંતા નાગરિકોને જાય છે તેટલો જ શ્રેય રાજ્યના સાચા પ્રજાવત્સલ લોકનાયકોને જાય છે અને એ તેનું જ પરિણામ હતું કે જ્યારે વાયુ વાવાઝોડું ગુજરાતમાં વિનાશ સર્જે તે પહેલાં રાજ્યનું વ્યવસ્થા તંત્ર નાગરિકોની ઢાલ બનીને ઊભું રહ્યું અને અનેક નાગરિકોને કાળનો કોળિયો બનતા બચાવી લીધાં. સરકારના પ્રયાસોથી જ રાજ્યનું આપત્તિ વ્યવસ્થાપન તંત્ર ગમે તેવી કુદરતી આપત્તિ સામે બાથ ભીડવા સક્ષમ બન્યું છે. ગુજરાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટની આજે વિશ્વકક્ષાએ નોંધ લેવાવા લાગી છે. જેનો શ્રેય સરકાર દ્વારા પ્રજાજનોની કરાતી ચિંતાને જાય છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ હંમેશા હોય છે સતર્કઃ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છને ફરી વાર બેઠું કરીને એશિયાનું સૌથી મોટું પુનઃનિર્માણ કાર્ય કરીને અનેક માન્યતાઓ ખોટી પાડી દીધી હતી ત્યારે હવે તેમના પગલે ચાલીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. જેના ફળ તે પછીની તમામ કુદરતી આપત્તિ વખતે ચાખવા મળ્યા છે. રાજ્યમાં પાંચ ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર અને જિલ્લા તાલુકા સ્તરે આપદા પ્રબંધન પ્લાન બનાવ્યા છે. રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને ડિઝાસ્ટર મનેજમેન્ટના અદ્યતન ઉપકરણોથી સજ્જ કરવામાં આવી છે. એટલું જ નહીં કુદરતી આપત્તિમાં બચાવ કાર્ય માટે સ્પેસ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાવામાં આવી રહ્યો છે. સરકારના પ્રયાસોના કારણે કુદરતી આપત્તીઓમાં જાનમાલના નુકસાનનો આંકડો ઘટતો જઈ રહ્યો છે.