ગાંધીનગર: આજે પોલિયો રવિવાર છે. CM વિજય રૂપાણી ગાંધીનગરમાં પોલિયો રસીકરણના અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. રાજયમાં 85 લાખ બાળકોને આ અભિયાનમાં આવરી લેવાશે. જે માટે 1 લાખ 35 હજાર આરોગ્ય કર્મચારીઓ સેવા આપશે.
ગાંધીનગરના કોમ્યુનિટી હોલમાં આ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂરાણીએ ગુજરાતને સંપૂર્ણ પોલિયોમુક્ત રાજ્ય બનાવવાનો સંકલ્પ દોહરાવ્યો છે. વિજય રૂપાણીએ રાજ્યમાં ૦ થી પાંચ વર્ષનું એક પણ બાળક પોલિયો ટીપાં પીવાથી વંચિત ન રહે તે માટે માતા-પિતા વાલીઓને બાળકોને પોલિયો બૂથ પર લઇ જવા હાર્દ ભર્યો અનુરોધ કર્યો હતો.