પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ લાભ પંચમ ના દિવસે ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી માં અંબા ના દર્શને પહોંચ્યા હતા અને મંગલા આરતી માં ભાગ લીધો હતો.
વહેલી સવારે મા અંબાના શરણોમાં પોતાનું માથુ ટેકવી પૂજા અર્ચના કરી. અહીં પૂજા અર્ચના કર્યા બાદ માં અંબા ને ભોગ પણ ધરાવ્યો હતો અને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લઇ માં અંબાને ધજા ચડાવી હતી અને સમગ્ર ગુજરાત અને દેશનું કલ્યાણ થાય તેવી માં અંબા સમક્ષ પ્રાર્થના કરી હતી.
બીજી મંદિર માં દર્શન કર્યા બાદ કર્ણાટક ના રાષ્ટ્રીય નેતા અનંત કુમાર ના અવસાન ના સમાચાર મળતા વિજય રૂપાણી એ મીડિયા સમક્ષ આવીને શોક સંદેશ પાઠવ્યો હતો અને જણાવ્યું હતું કે અનંત કુમાર એ કર્ણાટક ના મોટા કદ ના નેતા હતા જેની ખોટ પાર્ટી ને હંમેશા રહેશે.