ઘણીવાર પ્રીન્ટીંગ મિસ્કેટ થઈ જતી હોય પણ જ્યારે જાહેર બોર્ડમાં આવા છબરડાઓ છતા થાય ત્યારે લાપરવાહી છતી થઈ જાય છે આવીજ બેદરકારીના નમૂના ભરેલી ભૂલ અર્થનો અનર્થ કરી મૂકે છે. સાબરકાંઠામાં પણ આવાજ બોર્ડને લઈને વિવાદ ઉભો થયો છે. વડાપ્રધાનના ફોટા સાથે સીએમ રૂપાણીનો ફોટો મૂકવામાં આવ્યુ છે અને ડિજિટલ ક્રાંતિ અંગેનું પોસ્ટર છે પણ પોસ્ટરમાં બહુ મોટો છબરડો છે.
સાબરકાંઠામાં CM રૂપાણીને ગુજરાતના બદલે ભારતના મુખ્યમંત્રી દર્શાવતા બોર્ડ લગાવાયા છે. હિંમતનગર તાલુકા પંચાયત કચેરી બહાર લગાવેલા બોર્ડમાં છબરડો જોવા મળ્યો હતો. અહીં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યુ છે તેમાં CM રૂપાણીને ભારતના મુખ્યમંત્રી દર્શાવાયા છે.