આજે ગાંધીનગરમાં ગુજરાત કેબિનેટની બેઠક મળશે અને રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને કંટ્રોલ કરવા માટે ખાસ નીતિ તૈયાર કરાશે એટલું જ નહીં પરંતુ શિક્ષણ અને ખેતી અંગે પણ મહત્વના નિર્ણય લેવાઈ શકે છે. CM રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ મળશે.
30 જુલાઈ સુધી કોરોના સંક્રમણ ઘટાડવા પર ઘડાશે રણનીતિ
સુરત શહેરમાં વધતા કોરોના સંક્રમણનો મુદ્દો ચર્ચાશે
આગામી સમયમાં શિક્ષણ સંસ્થાઓની કામગીરી અંગે થશે સમીક્ષા
રાજ્યમાં કુલ ચોમાસુ વાવેતર મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે
આજે CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાવાની છે. સવારે 10 કલાકે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે બેઠક મળશે. બેઠકમાં રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ અંગે ચર્ચા થશે. બેઠકમાં કન્ટેનમેન્ટ ઝોન વધારવા મુદ્દે પણ ચર્ચા થશે.
30 જુલાઈ સુધી કોરોના સંક્રમણ ઘટાડવા પર ઘડાશે રણનીતિ
કન્ટેઈનમેન્ટ ઝોનમાં કડક અમલીકરણ અંગે ચર્ચા કરી 30 જુલાઈ સુધી કોરોના સંક્રમણ ઘટાડવાની રણનીતિ ઘડાશે. સુરત શહેરમાં વધતા કોરોના સંક્રમણનો મુદ્દો ચર્ચાશે.
રાજ્યમાં સ્વયભૂ બજારોએ ઘટાડેલા સમય મુદ્દે પણ ચર્ચા-વિચારણા થશે.
શૈક્ષિક સંસ્થાઓની કામગીરીની સમીક્ષા
આગામી સમયમાં શિક્ષણ સંસ્થાઓની કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. વળી હાલ ચોમાસું ચાલી રહ્યુ હોવાથી રાજ્યમાં કુલ ચોમાસુ વાવેતર મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થશે.
આજે રાજ્યમાં 915 નવા કોરોના કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ 43723 પોઝિટિવ કેસ નોંધાયા છે. 749 દર્દીઓ સાજા થયા હતા.
આજે રાજ્યભરમાં કોરોનાને કારણે 14 મૃત્યુ
અમદાવાદ શહેર, સુરત શહેરમાં 3-3 મૃત્યુ, બનાસકાંઠા, ભાવનગર અને ગાંધીનગર શહેરમાં એક-એક નિધન, વડોદરા શહેરમાં 3, સુરત ગ્રામ્યમાં 2 દર્દીના નિધન થયા છે.