જમ્મુથી શ્રીનગર જઈ રહેલી CRPFની 70 ગાડીઓના કાફલા પર કાશ્મીરના પુલવામામાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા.
જેને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાના આજના સુરેન્દ્રનગર અને મોડાસા ખાતેના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. સીએમ વિજય રૂપાણીએ શહીદ જવાનોને શ્રદ્વાંજલિ પાઠવીને શોક વ્યક્ત કર્યો હતો.
મહત્વનું છે કે આજે તરણેતર ખાતે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાન - ૨૦૧૯નો પ્રારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ પ્રસંગે જિલ્લાના પ્રભારી તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને સ્થાનિક સાંસદ તેમજ ધારાસભ્ય સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હતા.
જ્યારે બીજો કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે જિલ્લા પોલીસ વડા અને તાલુકા પંચાયતની નવી બિલ્ડીનું ઉધ્ધાટન કરવાનું હતું. આમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પુલવામામાં