સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મુખ્યપ્રધાનનો જનતાને સંબોધનઃ મારી તબિયતને લઈ ચિંતા દર્શાવનાર માટે હું આભારી છું. CM રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની જનતા સાથે અડીખમ છે.
કોરોના પોઝીટીવ CM રૂપાણી હોસ્પિટલથી ગુજરાતની જનતાને સંબોધન કરી રહ્યા છે. મુખ્યપ્રધાને કહ્યું કે, મારી તબિયતને લઈ ચિંતા દર્શાવનાર માટે હું આભારી છું. CM રૂપાણીએ કહ્યું કે, ગુજરાતની જનતા સાથે અડીખમ છે. ચૂંટણી એક ઉત્સવ છે. 21 તારીખે મતદાન કરવા અને ભાજપને મત આપવા અપીલ કરી હતી. દરેક ચૂંટણીમાં લોકો ભાજપ સાથે ઉભા છે. ભાજપ માટે સત્તા સેવા માટે છે. પ્રજાના વિશ્વાસને પરપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે. ગુજરાતના શહેરોના વિકાસ માટે ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યા છે.
કોંગ્રેસના રાજમાં ગુજરાતને અન્યાય થતો હતો. દિલ્હીમાં ગુજરાતના પનોતા પુત્ર બેઠા છે. અને ગુજરાતને તમામ વસ્તુઓ પ્રાપ્ત થઈ રહી છે. કોરોનામાં ભાજપની સરકારે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્ય સરકાર પણ તમામ ક્ષેત્રમાં સર્વાંગીક વિકાસ કરી રહી છે. મારી સરકાર સંવેદનશીલતાથી કામગીરી કરી છે.