ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વહીવટી પારદર્શિતા લાવવા માટે બિન ખેતી પરવાનગીની કાર્યપદ્ધતિ ઓનલાઇન કરવા માટે મહેસુલ વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ઠરાવ બાદ તુરંત અમદાવાદમાં સેલની રચના કરાઇ હતી અને તે દિવસથી જ અમદાવાદ જિલ્લામાં ઓનલાઇન કામગીરી અમલમાં આવી હતી.
ત્યારે હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પારદર્શી અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. લાભપાંચમથી બિન ખેતી પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન કરાશે. રાજ્યની તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓમાં પ્રક્રિયા ઓનલાઇન કરાશે.
અમદાવાદ-ગાંધીનગરમાં 23 ઓગષ્ટથી પાયલોટ પ્રોજેક્ટ લાગુ કરાયો હતો. પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેતા તમામ જિલ્લામાં અમલ કરાશે. આગામી મહિનાથી જિ.પંચાયતોમાં પણ બિનખેતી પરવાનગરી પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે. જે લાભપાંચમથી રાજ્યભરમાં પ્રક્રિયા શરૂ થશે.