CM વિજય રૂપાણીના માસીયાઈ ભાઈનું અવસાન થયુ છે ત્યારે પરિવારે આક્ષેપ કર્યો છે કે, 108ની બેદરકારીથી અવસાન થયુ છે. જોકે પરિવારના આક્ષેપ બાદ રાજકોટ જિલ્લા કલેક્ટરે આ અંગે તપાસના આદેશ આપ્યા છે.
VTV સમક્ષ 108ના કોન્ટ્રાકટરનો ખુલાસો
GPS સિસ્ટમમાં પ્રોબ્લેમ હોવાથી મોડી પહોંચી
કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
108 ટાઈમસર ન પહોંચતા CM રૂપાણીના માસીયાઈ ભાઈનું અવસાન થયુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આ અંગે હોબાળો થતા તંત્ર હરકતમાં આવ્યુ છે અને કામે લાગ્યુ છે.
કેમ સમયસર ન પહોંચી શકી 108
108 સમયસર ન પહોંચી શકવાને કારણે CM રૂપાણીના ભાઈનું મોત થયુ છે. ત્યારે 108નું કહેવું છે કે, GPS સિસ્ટમને કારણે સમયસર પહોચી નહતુ શકાયુ. VTV સમક્ષ 108ના કોન્ટ્રાકટરે ખુલાસો કરતા જણાવ્યું હતુ કે, GPS સિસ્ટમમાં પ્રોબ્લેમ હોવાથી મોડી પહોંચી હતી.
કેટલી મોડી પહોંચી હતી 108
ઇશ્વરિયા ગામમાં 45 મીનિટ 108 મોડી પહોંચી હતી જેને લીધે એક વ્યક્તિનો જીવ ગયો હોવાની વાતે હોબાળો થયો હતો અને 108 ઉપર માછલા ધોવાયા હતા કે, 108 સમયસર ન પહોંચતી હોવાને કારણે વારંવાર આવી ઘટનાઓ બને છે.
શું કહ્યુ કલેકટરે
આ અંગે કલેક્ટરે આજે સાંજ સુધીમાં જવાબ આપવા કોન્ટ્રાક્ટરને આદેશ કર્યો છે. અને આ અંગે કડક કાર્યવાહી હાથ ધરી છે.