ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોનાગ્રસ્ત થયા છે ત્યારે હોમ મિનિસ્ટર અમિત શાહે તાબડતોડ ગુજરાતીમાં ટ્વીટ કરી હતી.
CM રૂપાણીને કોરોના રિપોર્ટ પોઝિટિવ
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કર્યુ ટ્વીટ
હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે ટૂંક સમયમાં સ્વસ્થ થાય-અમીત શાહ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવતાની સાથે જ ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતીમાં ટ્વીટ કરીને જલદી સાજા થઈ જવાની શુભકામનાઓ આપી હતી. અમિત શાહે તાબડતોડ ટ્વીટ કરી હતી. અમિત શાહ પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા અને કોરોના સામેની જંગ જીત્યા હતા.
શું કરી અમિત શાહે ટ્વીટ?
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં. હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુન: જનકલ્યાણના કામોમાં સક્રિય થાય.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જી કોરોના સંક્રમિત થયાના સમાચાર જાણ્યાં.
હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે, તેઓ ટૂંક સમયમાં સ્વસ્થ થઇ, આપણી વચ્ચે આવે અને પુન: જનકલ્યાણના કામોમાં સક્રિય થાય.
CM રૂપાણીની તબિયત સુધાર પર છે. આ અંગે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા બુલેટિન પ્રસારિત કરાયું છે. જેમાં CM રૂપાણીનો કોરોના અંગે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, CMના ECG, સિટી સ્કેન રિપોર્ટ પણ નોર્મલ છે. CMનું ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે. 24 કલાક માટે CMનો ઓબ્ઝરવેશન હેઠળ રખાયા છે.
CM રૂપાણી સહિત આ મોટા નેતાઓ પણ કોરોના સંક્રમિત
ભાજપના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
નહીં કરી શકે ચૂંટણી પ્રચાર
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપ માટે માઠા સમાચાર છે કેમ કે, CM વિજય રૂપાણી સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પ્રચાર નહિ કરી શકે કારણ કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને CM રૂપાણીએ કોરોનાની સારવારના ભાગ રૂપે 14 દિવસ માટે ક્વોરન્ટાઈન થવું પડશે જો કે તેમની તબિયત સારી છે.
આ લોકોની પણ કરાશે તપાસ
મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવતા સીએમ સિક્યુરિટીના જવાનોનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. મુખ્યમંત્રી નિવસ્થાને આવેલું કાર્યાલય સેનેટાઈઝ કરવામાં આવશે અને મુખ્યમંત્રીના કાર્યાલયના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
ગઈકાલે લથડી હતી તબિયત
મુખ્યમંત્રી વિજય રૂપાણી નિઝામપુરામાં સભા સંબોધી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી. તેઓ જનસભાને સંબોધન કરતા હતા અને આશરે 10 મિનિટમાં તેમને ચક્કર આવવા લાગતા તેઓ ઢળી પડ્યા હતા.
જો કે સુરક્ષા કર્મીઓની સતર્કતાથી નીચે પટકાતા બચી ગયા હતા. અને બાદમાં ડોક્ટરની ટીમે તેમની તપાસ કરી અને ગ્લૂકોઝ પીવડાવ્યું હતું અને બાદમાં તેમની તબિયતમાં સુધારો થયો હતો. અને તેઓ જાતે થોડીવારમાં કોઈના ટેકા વગર ચાલતા પોતાની ગાડી પાસે જઈને બેઠા હતા.
આ દ્રશ્યો જોતા તેમની તબિયત સારી હોય તેમ દેખાઈ રહ્યું હતું. તેમ છતા બાદમાં ડોક્ટરની સલાહ બાદ વડોદરા એરપોર્ટ પરથી તેઓ અમદાવાદ આવી પહોઁચ્યા હતા અને બાદમાં સારવાર માટે શાહીબાગમાં આવેલી યુએન મહેતામાં પહોંચ્યા હતા.
સીએમ સાથે વડોદરા હતા તેવા નેતાઓએ પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે
ડો વિજય શાહ , શહેર ભાજપ પ્રમુખ
ડો જીગીસબેન શેઠ. પૂર્વ મેયર
રંજનબેન ભટ્ટ સાસદ
યોગેશ પટેલ. મંત્રી નર્મદા વિભાગ
સુનિલ સોલંકી. શહેર ભાજપ મહામંત્રી
ભરત ડાગર. પ્રદેશ પ્રવક્તા
એન વી પટેલ વુડા ના પુર્વ ચેરમેન
મનીષાબેન વકીલ. ધારાસભ્ય
સીમાબેન મોહિલે ધારાસભ્ય
જીતેન્દ્ર સુખડીયા. ધારાસભ્ય
બાળુ શુક્લ પૂર્વ સાસદ
ભાર્ગવ ભટ્ટ મહામંત્રી ગુજરાત ભાજપ
શબ્દશરણ બ્રહ્મભટ્ટ. પૂર્વ મહામંત્રી
આ વોર્ડના ઉમેદવારો પણ હતા સામેલ
1,2,3,4,5,6,7,16,17,18અને 19 વોર્ડ ના ભાજપ ના 44 ઉમેદવારો સામેલ હતા જ્યારે ટીમ તરસાલી યુવક મંડળના સભ્યો સામેલ હતા.