મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના પોઝિટિવ આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને CM ની તબિયત અંગે સમાચાર આપ્યા હતા.
DyCM નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી
CM રૂપાણીની તબિયત સારી છે: નીતિન પટેલ
14 દિવસ રહેશે ક્વોરન્ટાઈન
CM રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈકાલે CM વડોદરામાં ચક્કર ખાઈને પડી ગયા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ યુ એન મહેતા લવાયા હતા જ્યાં તેમના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં આજે સવારે તેમનો RT-PCR ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.
શું કહ્યું નીતિન પટેલે?
હોસ્પિટલમાં કોરોનાના દર્દી તરીકે તેઓ સારવાર લઈ રહ્યા છે. હાલ તે સ્વસ્થ છે. તેમની રોજિદા જીવનની કસરતો ને કારણે તેમને કોરોના હાની નહીં પહોંચાડે. સીએમ રૂપાણીને ડાયાબિટિસ કે બીજી કોઈ બીમારી નથી એટલે તેઓ જલદીથી કોરોના સામેની ેજંગ જીતી જશે. હાલ તેમની યુએન મહેતા હોસ્પિટલમાં યુદધના ધોરણે સારવાર કરાઈ રહી છે. તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. કોરોનાનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
CM રૂપાણી સહિત આ મોટા નેતાઓ પણ કોરોના સંક્રમિત
ભાજપના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે ભાજપ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાના કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
હેલ્થ બુલેટીનમાં થયો ખુલાસો
સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં નિઝામપુરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર માટે રેલીઓ અને સભાઓને સંબોધન કરતા કરતા CM રૂપાણી ઢળી પડ્યા હતા ત્યારે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.
CM રૂપાણીની તબિયત સુધાર પર છે. આ અંગે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા બુલેટિન પ્રસારિત કરાયું છે. જેમાં CM રૂપાણીનો કોરોના અંગે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, CMના ECG, સિટી સ્કેન રિપોર્ટ પણ નોર્મલ છે. CMનું ઓક્સિજન લેવલ પણ નોર્મલ છે. 24 કલાક માટે CMનો ઓબ્ઝરવેશન હેઠળ રખાયા છે.
આ લોકોનો પણ કરાશે ટેસ્ટ
સીએમ વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે સીએમ રૂપાણીના સંપર્કમાં આવેલા અને તેમને મળેલા તમામ લોકોનો કોરોના રિપોર્ટ કરવામાં આવશે. સીએમ રૂપાણીના સિક્યુરિટી જવાનોનો કોરોના ટેસ્ટ કરાશે. સીએમ રૂપાણીના નિવાસસ્થાને આવેલા કાર્યાલયને સેનેટાઇઝ કરાશે. સીએમ રૂપાણીના કાર્યાલય અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાશે. ઉપરાંત ભાજપ સંગઠનના હોદ્દેદારોનો પણ કોરોના ટેસ્ટ કરાશે. ત્યારે થોડા દિવસ પહેલા જ પાર્લામેન્ટરીબોર્ડની બેઠક મળી હતી. જેમાં પ્રદીપસિંહ જાડેજા, નીતિન પટેલ, જગદીશ પંચાલ, રંજન ભટ્ટ, ભરત ડાંગર સીએમને મળ્યા હતા.
સીએમ સાથે વડોદરા હતા તેવા નેતાઓએ પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે
ડો વિજય શાહ , શહેર ભાજપ પ્રમુખ
ડો જીગીસબેન શેઠ. પૂર્વ મેયર
રંજનબેન ભટ્ટ સાસદ
યોગેશ પટેલ. મંત્રી નર્મદા વિભાગ
સુનિલ સોલંકી. શહેર ભાજપ મહામંત્રી
ભરત ડાગર. પ્રદેશ પ્રવક્તા
એન વી પટેલ વુડા ના પુર્વ ચેરમેન
મનીષાબેન વકીલ. ધારાસભ્ય
સીમાબેન મોહિલે ધારાસભ્ય
જીતેન્દ્ર સુખડીયા. ધારાસભ્ય
બાળુ શુક્લ પૂર્વ સાસદ
ભાર્ગવ ભટ્ટ મહામંત્રી ગુજરાત ભાજપ
શબ્દશરણ બ્રહ્મભટ્ટ. પૂર્વ મહામંત્રી
આ વોર્ડના ઉમેદવારો પણ હતા સામેલ
1,2,3,4,5,6,7,16,17,18અને 19 વોર્ડ ના ભાજપ ના 44 ઉમેદવારો સામેલ હતા જ્યારે ટીમ તરસાલી યુવક મંડળના સભ્યો સામેલ હતા.