મહેસાણાના ખેરાલુ તાલુકાના કુડા ગામના ઠાકોર પ્રવિણજી નામના આર્મી જવાન જમ્મુ કાશ્મીરના કારગીલ શહીદ થયા હતા. પ્રવિણજીના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યો છે.
કારગીલમાં ફરજ દરમિયાન બનાસકાંઠાના જવાન શહીદ થયા હતા. ખેરાલુના કુંડા ગામના ઠાકોર પ્રવીણજી નામના જવાન કારગીલમાં શહીદ થયા હતા. જવાનના પાર્થિવદેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. એરપોર્ટ પર મુખ્યમંત્રી રૂપાણી અને જવાનના પરિવારજનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
મહેસાણાના ખેરાલુના કુંડા ગામના રહેવાસી અને કારગિલમાં જવાન તરીકે ફરજ બજાવતા ઠાકોર પ્રવિણજીનું ચાલુ ફરજ પર મોત થયું હતું. જે શહીદ જવાનના પાર્થિવ દેહને તેના વતન લાવવામાં આવ્યો હતો. જ્યાં અમદાવાદ એરપોર્ટ ખાતે જવાનના પાર્થિવદેહને લાવવામાં આવતા જવાનો દ્વારા સલામી આપવામાં હતી. તેમજ ફૂલ ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સીએમ રૂપાણીએ અર્પી શ્રદ્ધાંજલિ
તો સાથે જ દિલ્હીથી પરત ફરેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ એરપોર્ટ પહોંચતાની સાથે શહીદ જવાનને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. એટલું જ નહીં પણ શ્રદ્ધાંજલિ પાઠવતી વખતે હાજર જવાનના પરિવારે અન્ય લોકોને પણ ફોજમાં ભરતી થવા જણાવ્યું હતું.