આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે સીએમ રૂપાણી અને પીએમ મોદીએ રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.
આજે ગુજરાતનો સ્થાપના દિવસ
સીએમ રૂપાણી, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભકામનાઓ
કોરોના વાયરસ મુદ્દે પણ આપ્યો ખાસ સંદેશ
આજે ગુજરાતનો સ્થાપના દિવસ
પહેલી મે, 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા ત્યારે આજે બંને રાજ્યોના સ્થાપના દિવસ છે ત્યારે રાજેનતાઓ અને સેલિબ્રિટી ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. પીએમ મોદીએ પણ ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે. જોકે અત્યારે આખો દેશ કોરોના વાયરસ સામે લડાઈ લડી રહ્યો છે ત્યારે સીએમ રૂપાણી અને પીએમ મોદીએ કોરોના મુદ્દે પણ સંદેશ આપ્યો છે.
હારી આ સરહદ ને હાર્યા સીમાડા,
પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત,
હે જીત્યું હંમેશા ગુજરાત…
આવો, એ જ ગુજરાતને આપણે સૌ “કોરોના મુક્ત" અને "રસીયુક્ત", સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી કોરોના સામેની આ જંગમાં જીતાડીએ.
CM રૂપાણીએ ગુજરાતને લગતી પંક્તિ ટ્વિટ કરીને કહ્યું કે 'હારી આ સરહદ ને હાર્યા સીમાડા,પણ હાર્યું ના કોઇ’દી ગુજરાત, હે જીત્યું હંમેશા ગુજરાત…' આ સિવાય સીએમ રૂપાણીએ ગુજરાતમાં કોરોના વાયરસ સામે લડવા માટે લોકોને રસી લેવા માટે અપીલ કરી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે 'આવો, એ જ ગુજરાતને આપણે સૌ “કોરોના મુક્ત" અને "રસીયુક્ત", સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી કોરોના સામેની આ જંગમાં જીતાડીએ.'
Today, Gujarat and Maharashtra mark their Statehood Days. Both states are home to outstanding people, who have made landmark contributions to national growth. May these states fight COVID-19 successfully and may the people of these states be blessed with good health.
પીએમ મોદીએ પણ ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકોને રાજ્યના સ્થાપના દિવસ પર શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ કહ્યું કે આકે ગુજરાત એનએ મહારાષ્ટ્ર સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે. બંને રાજ્યો દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે ત્યારે કોરોના સામેની લડાઈ આ બંને રાજ્યો જીતી જાય અને રાજ્યના લોકોને સારું સ્વાસ્થ્ય મળે તેવી શુભકામનાઓ.
મહાત્મા ગાંધી અને સરદારના રૂપમાં સમસ્ત માનવજાતિને શાંતિ અને શક્તિનો સંદેશ આપનાર ગુજરાતના સૌ કર્મશીલ નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસ ની શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે ગુજરાતવાસી દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન સતત આપતા રહેશે.
જય જય ગરવી ગુજરાત
નોંધનીય છે કે દેશના પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ બંને ગુજરાતી જ છે ત્યારે આજે ગૃહમંત્રીએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવતા કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદારના રૂપમાં સમસ્ત માનવજાતિને શાંતિ અને શક્તિનો સંદેશ આપનાર ગુજરાતના સૌ કર્મશીલ નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસ ની શુભકામનાઓ. મને વિશ્વાસ છે કે ગુજરાતવાસી દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન સતત આપતા રહેશે.