આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરતની મુલાકાતે કરશે. વધતા કોરોના સંક્રમણને લઇ CM સુરતની મુલાકાત લેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સુરતની મુલાકાતે જશે. તેમજ CS અનિલ મુકીમ અને કે.કૈલાશનાથન સહીતના અધિકારી પણ હાજર રહેશે. તેઓ સુરતના વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરશે. જેમાં મેયર, કમિશનર, કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે હાજર રહેશે. તેઓ આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા કરશે. જિલ્લા તંત્રની સજ્જતા અંગેનો ચિતાર મેળવશે.
વધતા કોરોના સંક્રમણને લઇ CM સુરતની લેશે મુલાકાત
DyCM નીતિન પટેલ પણ સુરતની જશે મુલાકાતે
CS અનિલ મુકીમ, કે. કૈલાશનાથન સહીતના અધિકારી પણ રહેશે હાજર
આખુ વિશ્વ હાલ કોરોના સામે લડી રહ્યું છે ત્યારે ત્યારે ગુજરાતના અમદાવાદ અને સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. આજ સુધીમાં સુરતમાં 5 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે 172 લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે સુરતમાં કેસ વધતા આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયું છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સુરતની મુલાકાતે છે. તો હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અધિકારીઓ સુરતમાં કોરોના વાયરસની સ્થિતિને કારણે આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે (શનિવાર) સુરતની મુલાકાત લેવાના છે.
સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના અગ્રસચિવ કે. કૈલાશનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સુરતની મુલાકાત લેવાના છે. અહીં તેઓ સુરત શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ત્યાંની આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા અને જિલ્લા તંત્રની સજજતા અંગેનો ચિતાર મેળવશે.