રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સૂચક નિવેદન કરી હડતાળ પૂરી કરવા વિનંતી કરવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે અત્યારે હાલ રાજ્યમાં કોરોના દર્દી નથી, તો અત્યારે કોરોના નથી તો બોન્ડમાંથી મુક્તિ હોવી જોઈએ. કોરોના નથી તો ડોકટરોએ નિયમોનું પાલન કરવું જોઈએ આ સાથે જ તેમને ડોકટરોને હળતાલ સમેટી લેવા વિનંતી પણ કરી છે.
નાયબ મુખ્યમંત્રીએ હળતાળને ગેરકાયદે ગણાવી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આકરૂ વલણ દાખવતાં કહ્યું કે રાજયની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલ હડતાળ તદ્દ્ન ગેરવાજબી છે.કોઇપણ યોગ્ય કારણો વગર હડતાળ કરીને દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એને સરકાર ચલાવી લેશે નહી. તમામ તબીબો દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ સમજીને બિનશરતી હડતાળ પાછી ખેચીને માનવસેવાના ઉમદા કામમાં લાગી જવા તબીબોને તેમણે અનુરોધ કર્યો છે. રાજ્ય સરકારની બોન્ડ નીતિ સ્પષ્ટ છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક વિધાર્થીઓને પ્રવેશ સમયે આપેલ બોન્ડની શરતો મુજબ એક વર્ષ / ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. આ વિધાર્થીઓ સરકારી મેડીકલ કોલેજ ખાતે પ્રજાનાં જ નાણાં થકી બિલકુલ નજીવી ફી થી અભ્યાસ મેળવે છે. ત્યારબાદ આ અભ્યાસક્રમ પૂર્ણ થયેથી રાજયના છેવાડાનાં નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તેઓની ફરજ છે એટલે બોન્ડનો જે વિરોધ કરે છે એ વ્યાજબી અને કાયદેસર નથી.
રેસિડેન્ટ ડૉકટર્સની હડતાળનો છઠ્ઠો દિવસ
રેસિડેન્ટેલ ડોક્ટરોની હડતાળને પગલે હવે દર્દીઓને પણ ભારે હાલકી ભોગવવાનો વારો આવ્યો છે. રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને કારણે OPD વિભાગમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો હોસ્પિટલમાં વિવાદ વિભાગોમાં પણ લાંબી કતારો જોવા મળી રહી છે જો વાત કરવામાં આવે તો વાયરલ વિભાગ, મેડિસિન વિભાગ તેમજ સર્જરી વિભાગમાં પણ દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે
પોતાની માંગને લઈને નિવાસી તબીબો અડગ
કોરોના કાળમાં દિવસ રાત ખડેપગે રહેનાર ડોક્ટરો પોતાની માંગને લઈ મક્કમ બન્યા છે. અગાઉ કોરોનાની વિપરિત પરિસ્થિતિમાં ડોક્ટોએ દિવસ રાત એક કર્યા હતા રેસિડેન્ટલ ડોક્ટરોનો હડતાળનો આજે છઠ્ઠો દિવસ છે છતા પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.
સન્માનપત્રનો તબીબો કરશે બહિષ્કાર
જુનિયર તબીબો પોતાની પાંચ માગોને લઈ અડગ છે જો માગં નહીં સ્વીકારવામાં આવે તો હજુ પણ હડતાળ લાંબી ચાલી શકે છે જો વાત કરવામાં આવે માંગ કરી રહ્યા છે કે રેસિડન્ટ પાસ થયેલા તબીબોની જૂના જી.આર મુજબ ડ્યુટી લગાવવામાં આવે. જો સરકાર નવા જી.આર મુજબ ગણે તો વિદ્યાર્થી જે જગ્યાએ પાસ આઉટ થયા હોય ત્યાં જ ડ્યૂટી આપવી.