આજે મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગરમાં નવમું એશિયા એગ્રી એક્ઝીબિશન ખુલ્લું મૂક્યું છે. મુખ્યમંત્રીએ કાર્યક્રમના સંબોધનમાં નર્મદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડૂતો માટે મોટી જાહેરાત કરતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે હવેથી એક પણ ખેડૂત વીજ કનેક્શન વિના નહીં રહે. સાથે જ મગફળી અને કપાસની ખરીદી સરકાર ટેકાના ભાવે કરશે. ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવી દિશાને સાથે રાખીને ખેડૂત આગળ વધે તે માટે એક્ઝીબિશનની શરૂઆત કરવામાં આવી છે.
સીએમ રૂપાણીએ કહ્યું કે નર્મદા ડેમ 138 મીટર ભરવાનો છે. 5 મિલિયન એકર પાણીનો પ્રથમવાર ગુજરાતની ધરતી પર સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. સાથે જ સુજલામ સુફલામ યોજના સાથે 450 તળાવને પણ જોડવામાં આવ્યા છે. આ યોજનામાં સૌરાષ્ટ્ર અને કચ્છના ડેમ પણ પાણીથી ભરી દેવામાં આવ્યા છે. હાલમાં નર્મદાનું પાણી છેવાડા સુધી પહોંચ્યું છે અને અનેક ખેડૂતોને તેનાથી રાહત પહોંચી છે.