કોંગ્રેસના નેતા અહેમદ પટેલના ટ્વિટ મુદ્દે રાજકીય વાતાવરણ ગરમાયું છે. મુખ્યમંત્રી અને અહેમદ પટેલ વચ્ચે ટ્વિટર વૉર ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતમાં કોરોનાના ટેસ્ટને મામલે અહેમદ પટેલની ટ્વીટર પોસ્ટ બાદ CM રૂપાણીએ પણ પોસ્ટ કરીને વળતો જવાબ આપ્યો હતો. જ્યાર બાદ ફરી CM રૂપાણીના ટ્વિટ પર અહેમદ પટેલે ટ્વીટ કરતા ગુજરાતમાં કોરોનાના આંકડા મુદ્દે સોશિયલ મીડિયામાં ઘમાસાણ જામ્યુ છે.
કોરોના ટેસ્ટ મુદ્દે ટ્વિટ વૉર
મુખ્યમંત્રીના ટ્વિટનો અહેમદ પટેલે આપ્યો વળતો જવાબ
અગાઉ મુખ્યમંત્રીએ અહેમદ પટેલના ટ્વિટ પર કર્યા હતા પ્રહાર
ગુજરાતમાં કોરોનાનું ટેસ્ટિંગ ઓછું શા માટે કરવામાં આવી રહ્યું છે તે અંગેનો પ્રશ્ન પૂછતી અને આંકડાકિય માહિતી દર્શાવતી ટ્વિટ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ દ્વારા કરવામાં આવી હતી. અહેમદ પટેલ દ્વારા આ પ્રકારની ટ્વિટ કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ એક આંકડાકીય માહિતી સાથેની ટ્વિટ કરીને તેમને જવાબ આપ્યો હતો. આમ ફરી તેના પર અહેમદ પટેલે વિજય રૂપાણી તમે અથવા તમારી સરકાર ખોટી છે અને રાજીનામું આપવાની માંગ સાથે વધુ એક ટ્વિટ કરતાં ટ્વિટર વૉર શરૂ થઈ ગયું છે.
અહેમદે પટેલે સૌપ્રથમ ગુજરાતમાં ટેસ્ટિંગ ઓછાં કેમ કરી દેવાયા મામલે ટ્વિટ કર્યુ હતું. તેના પર ગણતરીના સમયમાં CM રૂપાણીનું આંકડા સાથે અંગ્રેજીમાં જવાબ આપતી ટ્વિટ કરવામાં આવી હતી.જેના પર સાંજે ફરી એક વખત કોંગ્રેસ નેતા અહેમદ પટેલે ટ્વિટ કરીને કહ્યું.
"મિ.સીએમ ગુજરાતી સંસ્કૃતિ મને તમારા જેવા શબ્દપ્રયોગ કરવાની મંજૂરી નથી આપતી. મારો સ્ત્રોત તમારી જ સરકારની વેબસાઈટ છે. એટલે તો તમે ખોટા છો અથવા તમારી સરકાર, કોઈ એકે રાજીનામું આપવું જોઈએ? તમે આંકડાઓની માયાજાળથી સત્ય છુપાવવાનું બંધ કરો. છેલ્લાં 15 દિવસમાં પ્રતિ દિન તમે કેટલાં ટેસ્ટ કર્યા?"
Mr CM,
1)Gujarati culture doesn’t permit me to use the tone u have used
2)My source is ur govt data:https://t.co/7YPi0F3IGD
Either u or ur govt is wrong, someone must resign?
કોંગ્રેસના સાંસદ અને નેતા અહેમદ પટેલે ગુજરાત સરકાર પર આરોપ લગાવતાં કહ્યું છે કે સરકારે કોરોનાના ટેસ્ટ ઓછા કરી દીધા છે. અહેમદ પટેલે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે શા માટે ટેસ્ટ ઓછા કરવામાં આવ્યાં છે.
Why is Gujarat government reducing testing? This is very disturbing & is contrary to national policy of increasing tests .
In a pandemic it is important to be honest about the problem rather than trying to conceal it pic.twitter.com/UFAgqz9Jpi
મુખ્યમંત્રી રૂપાણીએ સામે અહેમદ પટેલનો વળતો જવાબ આપ્યો હતો
અહેમદ પટેલના ટ્વીટના ગણતરીના સમયમાં CM રૂપાણી દ્વારા આંકડા સાથે અંગ્રેજીમાં જવાબ આપતી ટ્વિટ કરવામાં આવી હતી. ત્યારે તેના મુદ્દે ગુજરાતે ટેસ્ટ કરવાનું નથી ઘટાડ્યું કહીને ફોટા સાથે પોસ્ટ કરી કહ્યુ હતુ કે, તમારી દર્શાવેલ વિગત હકીકત કરતા ઘણી દૂર છે. સૌપ્રથમ તમારી પાસે જે માહિતી તે ચકાસી લો.
Mr. AHMED PATEL, Gujarat has not at all decreased number of tests. Kindly recheck your information sources which are far away from facts and ground realities. https://t.co/fZZAFNDt8Dpic.twitter.com/A6HA3DeFLe