મંગળવારે બપોરે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે CM રૂપાણીએ ટ્રાફિક દંડની રકમ અને નવા RTOના નિયમ અંગે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં પત્રકારે ઘણા લાંબા સમયથી સોશિયલ મીડિયામાં ફરતાં રોડના ખાડાઓ પરનો પ્રજાનો પ્રશ્ન ઉઠાવતાં CM રૂપાણી પ્રશ્નનું સમાધાન કરવાના બદલે તેમના પર ભડક્યા હતા.
કેન્દ્ર સરકારે ટ્રાફિક રૂલ્સના ભંગ બાદ દંડની રકમ વધારવામાં આવી છે. આ અંગે ગુજરાત સરકાર તેને લાગુ કરવા અને RTOના નિયમોમાં ફેરફાર અંગે છેલ્લા 10 દિવસથી અવઢવમાં હતી. ત્યારબાદ મંગળવારે CM રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી નવા નિયમો અને દંડ અંગે પ્રેસ અને પ્રજાને માહિતી આપી હતી.
પત્રકારે પુછ્યું કે
રૂપાણી સાહેબ આપની સરકાર નવા નિયમો લાવી હજારો રૂપિયાનો દંડ વસુલી રહી છે તો આપની ફરજ નથી બનતી કે રોડ પર પડેલાં ભયાનક ભુવા અંગે કોઈક કાર્યવાહી કરી ઝડપથી સરખા કરાવીએ કે જેથી લોકોને હેરાનગતિ ન થાય
CM રૂપાણીનો જવાબ
રૂપાણી ગુસ્સે થતાં થતાં બોલ્યા, તમે આ આડી અવળી વાતો કર્યા વગર જે મુદ્દાની વાત છે તે કરો ને, દંડની વાત ચાલી રહી છે ને તમે આ બીજી વાતો કરો છો. RTOના નવા નિયમ અને દંડ એ અલગ વાત છે અને રોડની વાત અલગ છે.