બ્રેકિંગ ન્યુઝ
VTV / CM of Gujarat responds to Mahua Moitra's statement
Last Updated: 04:34 PM, 5 February 2022
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા મોટા ભાગે સંસદમાં અને સંસદની બહાર વિવાદીત નિવેદનો આપવા માટે ટેવાયેલા છે. જેને લઈને તેઓ ચર્ચામાં પણ રહેતા હોય છે. આ વખતે તેમણે જૈન સમુદાયને લઈને વાંધાજનક નિવેદન આપ્યું છે. જેને લઈને સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ લોકોમાં ભારોભારનો ગુસ્સો છે.
ADVERTISEMENT
अहिंसा, अपरिग्रह और जीवदया के संस्कारों वाले जैन समुदाय के लिए संसद में अपमानजनक शब्दों का इस्तेमाल कर @MahuaMoitra ने इस समुदाय की धार्मिक भावना को ठेस पहुँचाया है।
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 5, 2022
उन्हें अपने इन अपमानजनक शब्दों के लिए जैन समुदाय से माफ़ी मांगनी होगी।
ADVERTISEMENT
હકીકતમાં જોઈએ તો, મહુઓ મોઈત્રાએ 3 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવમાં ભાગ લેતા લોકસભામાં પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, આપ ભવિષ્યના ભારતથી ડરો છો, તો આપની ચામડીમાં સહજ છે. જે પરસ્પર વિરોધી વાસ્તવિકતાઓની સાથે સહજ છે. આપ એ ભારતથી ડરો છો, જ્યાં એક જૈન છોકરો ઘરેથી છુપાઈને અમદાવાદના રસ્તાઓ પરની એક લારીએ કબાબ ખાય છે. મહુઆ મોઈત્રાએ આપેલા આ નિવેદનથી હવે જૈન સમાજમાં ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે.
Jainism is one of the oldest religions in the world. It teaches liberation and harmlessness.
— C R Paatil (@CRPaatil) February 5, 2022
@MahuaMoitra, Please don't drag Jainism into your so-called politics.
we will not tolerate!! Jai Jinendra !
ટીએમસીના સાંસદ દ્વારા આપવામા આવેલા આ નિવેદનના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે. જેનો વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. આ બાબતની ગંભીરતા જાણી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જવાબ આપતા ટ્વિટ કર્યું છે કે, અહિંસા, અપરિગ્રહ અને જીવદયાના સંસ્કારો ધરાવતા સમુદાય માટે સંસદમાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરીને આ સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી છે. તેમને તેમના આ અપમાનજનક શબ્દો માટે જૈન સમુદાય પાસે માફી માગવી જોઈએ.
Feeling pity for @MahuaMoitra dragging Jain's into her so called politics is showing her poor mindset.
— Harsh Sanghavi (@sanghaviharsh) February 4, 2022
how could she talk about a Jain like this.
Mind your words Madam, before speaking about any specific community. pic.twitter.com/fBkCbRP8s5
તો વળી આ બાબતને લઈને હર્ષ સંઘવીએ પણ મહુઆ મોઈત્રાને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, આવુ બોલીને તેઓ નબળી માનસિકતા છતી કરે છે. કોઈ પણ સમુદાય વિશે બોલતા પહેલા ધ્યાન રાખો, મર્યાદામાં બોલો. જૈન સમુદાય વિશે આવુ બોલી જ કેમ શકો .
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.