JDU ના સાંસદ અને પાર્ટીના નેતા લલનસિંહે સ્પષ્ટ કરી વાત
હાલ બિહારમાં અમે પોતાનું કામ કરી રહ્યા છીએ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે દિલ્હી પહોંચ્યા
કેન્દ્રમાં મંત્રીમંડળમાં થવાના મોટા ફેરફાર વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે દિલ્હી પહોંચ્યા હતા. તેમના આ દિલ્હી જવાના કાર્યક્રમને લઈને જ અટકળો શરૂ થઈ ગઈ હતી કે તેઓ PM મોદી અને બીજા અન્ય નેતાઓને મળી શકે છે. સાથે જ એ પણ ચર્ચા થઈ રહી હતી કે આ બેઠક JDUને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવા માટે હોઈ શકે. પરંતુ દિલ્હી પહોંચેલ CM નીતિશ કુમારે આ બધી જ રાજકીય અટકળો વચ્ચે કહ્યું કે તેઓ માત્ર દિલ્હી પોતાની આંખની સારવાર માટે આવ્યા હતા. તેમણે કહ્યું જે PM મોદીને મળવાની કોઈ વાત છે જ નહીં. સાથે જ તેમણે એ પણ ઉમેર્યું જે કેબિનેટમાં સામેલ થવાની પણ કોઈ વાત નથી.
JDU ના સાંસદ અને પાર્ટીના નેતા લલનસિંહે સ્પષ્ટ કરી વાત
નીતિશ કુમારે વધુ વિગત સાથે કહ્યું જે હાલ બિહારમાં અમે પોતાનું કામ કરી રહ્યા છીએ. સાથે જ તેમણે કહ્યું કે અમે ભાજપ સાથે છીએ અને કોઈ પણ પ્રકારનો વિવાદ નથી. બીજી બાજુ જોવા જઈએ તો JDU એ પહેલા જ આ વાતના સંકેત આપી દીધા હતા કે CM નીતિશ કુમારની આ યાત્રાને કોઈ પણ પ્રકારે કેન્દ્રીય મંત્રી મંડળ વિસ્તારવા સાથે લેવા દેવાં નથી. JDU ના સાંસદ અને પાર્ટીના નેતા લલનસિંહે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે CM નીતિશ કુમારની આ યાત્રાને કોઈ પણ પ્રકારે કેન્દ્રીય મંત્રી મંડળ વિસ્તારવા સાથે લેવા દેવાં નથી. તેમણે એ પણ કહ્યું હતું કે નીતિશ કુમાર પોતાના આંખોની સારવાર માટે દિલ્હી જઈ રહ્યા છે.
હાલ બિહારમાં અમે પોતાનું કામ કરી રહ્યા છીએ
તેમણે રાજકીય અટકળોને ટાળતા કહ્યું કે મંત્રીમંડળમાં ફેરફાર કરવા એ PM મોદીનો વિશેષ અધિકાર છે. જેના પર બીજા કોઈનો હક ના લાગી શકે. મંત્રીમંડળમાં JDU પણ સામેલ થશે એ માત્ર અટકળો છે અને આવી અટકળો લઈને રાજનીતિ ના થઈ શકે. પણ આ બધા વચ્ચે JDUના અલગ અલગ નેતાઓના અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. નીતિશકુમારે કહ્યું કે તેઓ માત્ર પોતાની આંખોના ઈલાજ માટે આવ્યા છે. તેમણે કહ્યું કે થોડા જ સમયમાં ડોકટરોને મળશે. વધુમાં જણાવતા તેઓ બોલ્યા કે હાલ તેઓ બિહારનું કામ કરી રહ્યા છે. હાલ ત્યાં વરસાદ હોવાને કારણે માત્ર પૂર પર ધ્યાન આપી રહ્યા છે.