નવી દિલ્હી: સોનિયા ગાંધીના લંચમાં સામેલ થવાનો ઇન્કાર કરનારા બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પીએમ મોદીના લંચમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા છે. મોદીએ આ લંચ મૉરીશસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથના સન્માનમાં યોજવામાં આવ્યું છે જેમાં નીતીશ કુમારને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.
મોદીના ભોજન માટેના આમંત્રણને સ્વીકાર કરવું અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેના ભોજનમાં સામેલ ન થવુ એ રાજનીતિમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આરજેડી પ્રમુખ લાલૂ યાદવ પરિવાર પર લાગેલા ગંભીર આરોપો બાદ નીતીશ કુમારનું પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થવું બહુજ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીની સાથે નીતીશ કુમારનું લંચમાં સામેલ થવું એ જુલાઇમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. કેટલાક મુદ્દા પર પીએમ મોદીનું સમર્થન કરી નીતીશ કુમાર એક નવા ગઠબંધન તરફ ઇશારો કરવાની પહેલ કરી ચુક્યા છે. જે સમય સંપૂર્ણ વિપક્ષ પાર્ટીઓ નોટબંધી પર મોદીની આલોચના કરતા હતા તે સમયે પણ નીતીશ કુમાર મોદીના સમર્થનમાં સૌની આગળ આવ્યા હતા.