જમ્મૂ-કશ્મીરમાં રમઝાન મહિનામાં મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ ઓપરેશન ઓલઆઉટ ન ચલાવવાની માગ કરી હતી. જેને કેન્દ્ર સરકારે પણ મંજૂરી આપી દીધી હતી. જોકે સરકારના આ નિર્ણયને લઈને જવાનોમાં ભારે રોષ ફેલાયો છે. તેવામાં એક જવાનનો વીડિયો વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે આ VIDEOમાં જવાન કહી રહ્યો છે કે ભારતીય સેના ઓપરેશન ઓલઆઉટ ચલાવી રહી હતી.જેના કારણે આતંકીઓ ભાગી રહ્યા હતા.જોકે રમઝાન મહિનામાં સીઝફાયરની જાહેરાત કરતા આતંકીઓને મજબૂત થવાની તક મળી રહી છે.ઓપરેશન બંધ કરતાં જ જવાનો પર હુમલા થઈ રહ્યા છે. જવાને કહ્યું કે આજ સુધી અમે આતંકીઓ પર હાવી હતા અને શોધીને મારી રહ્યા હતા.
આજે તેમની પાસે હથિયાર નથી પૈસા નથી.જેથી તે બેંકો અને હથિયારો લૂંટશે.સરકાર શાંતીના નામે આતંકીઓને ફરી ઉભા થવાની તક આપી રહી છે.જવાને વધુમાં કહ્યું કે એક પણ જવાન સીઝફાયરથી રાજી નથી.તે ભૂખ્યા તરસ્યા હોત તો પથ્થર ન મારતા ફાયરિંગ ન કરતાં. એક મહિનામાં એ લોકો એટલા મજબૂત થઈ જશે કે તેની સામે લડવા વધુ એક વર્ષ લાગી જશે.જવાને માગ કરી કે સીઝફાયરનો નિર્ણય પાછો ખેંચવામાં આવે અને ઓપરેશન ઓલઆઉટ ફરી શરૂ કરવામાં આવે નહીં તો જવાનોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવશે.