પ્રધાનમંત્રી મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં અખિલેશની પાર્ટીના પ્રચારમાં આવેલા સીએમ મમતા બેનરજીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા.
વારાણસીમાં અખિલેશના પક્ષમાં મમતા બેનરજીનો પ્રચાર
પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીમાં ગરજ્યાં
મરવા માટે તૈયાર પણ ડરીશ નહીં
ભાજપની હાર નક્કી છે
પશ્ચિમ બંગાળના સીએમ અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 ના અંતિમ તબક્કામાં સપા પ્રમુખ અખિલેશ યાદવની તરફેણમાં પ્રચાર કર્યો હતો. ગુરુવારે સાતમા અને અંતિમ તબક્કાના મતદાનના પ્રચારમાં સીએમ મમતા બેનર્જીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી અને કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો.
I am not scared. I am not a coward. I am a fighter. I faced thrashings & bullets several times in my life. But I never bowed down. Yesterday when they were surrounding me, I got down from my car & faced them to see what they can do. They are cowards: WB CM Mamata Banerjee pic.twitter.com/aOXnYA5zO4
મારી સાથે આવું બન્યું-મમતાએ કર્યો ખુલાસો
મમતાએ કહ્યું કે હું જ્યારે એરપોર્ટ પરથી ઘાટ પર જઈ રહી હતી ત્યારે મેં ભાજપના કેટલાક કાર્યકરોને જોયા જેમનું એકમાત્ર કામ ગૂંડાગીરી કરવાનું છે તેમના મગજમાં ગુંડાપણું છે. ભાજપના કાર્યકરોએ મારી કાર અટકાવી. તેમણે મારી કાર પર લાકડીથી હુમલો કર્યો અને મને પાછા જવાનું કહ્યું. ત્યારે જ મને થયું હતું કે ભાજપની હાર નક્કી છે.
Y'day when I was going to Ghat from airport, I saw some BJP workers -who have nothing else except hooliganism in their brains- stopping my vehicle. They hit my car with sticks & told me to go back. Then I realised that they're gone. Their (BJP) loss is imminent: WB CM in Varanasi pic.twitter.com/qLZMWvSJeB
મરવા માટે તૈયાર છું કોઈથી ડરતી નથી
મમતા બેનરજીએ કહ્યું કે "ગઈકાલે, વારાણસીમાં મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો, કારને રોકવામાં આવી હતી,હું મરવા માટે તૈયાર છું પરંતુ કોઈનાથી ડરવાની નથી.આ ચૂંટણીમાં ભાજપની હાર નક્કી છે. આ ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે અને લોકસભાની ચૂંટણીમાં મોદીની સરકાર જવાની છે.
I have been attacked several times, shot at and beaten by sticks in past, but never bowed down: Mamata Banerjee at poll rally in Varanasi
ભુતકાળમાં ઘણી વાર હત્યાનો પ્રયાસ થયો હતો છતાં ડરી નહોતી
મમતા બેનરજીએ કહ્યું કે હું કોઈનાથી ડરતી નથી. હું ડરપોક નથી. હું યોદ્ધા છું. મેં મારા જીવનમાં ઘણી બુલેટનો સામનો કર્યો છે અને ભૂતકાળમાં મારી પણ મારઝૂડ થઈ હતી. તેમ છતાં પણ હું ઝૂકી નથી.