પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલીમિન (એઆઈએમઆઈએમ) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પર નિશાન સાધ્યું છે. તેમણે નામ લીધા વિના કહ્યું કે હૈદરાબાદની એક પાર્ટી ભાજપ પાસેથી પૈસા લે છે.
મમતા બેનર્જીનો ઔવેસીની પાર્ટી પર આક્ષેપ
ભાજપ પાસેથી પૈસા લેતી હોવાની કરી વાત
2021 ની ચૂંટણી ત્રીજી વખત સત્તા હાંસલ કરવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ
કૂચ બિહારમાં જાહેર સભાને સંબોધિત કરતા બેનર્જીએ કહ્યું હતું કે 'લઘુમતીઓમાં ઉગ્રવાદ ઉભરી રહ્યો છે. જેમ હિન્દુઓમાં ઉગ્રવાદ છે. એક રાજકીય પક્ષ છે જે ભાજપ પાસેથી પૈસા લે છે. તે પશ્ચિમ બંગાળનો નહીં પણ હૈદરાબાદનો છે.
કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર
West Bengal Chief Minister Mamata Banerjee in Cooch Behar: Extremism is coming out among the minorities, just as there are extremists among the Hindus. There is a political party and they are taking money from the BJP, they are from Hyderabad, not from West Bengal. (18.11.19) pic.twitter.com/cImWHdGc6o
બેનર્જીએ સોમવારે સંસદના શિયાળુ સત્રમાં નાગરિકતા સુધારણા બિલ (કેબ) લાવવાના પ્રયાસ માટે કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી સરકાર પર નિશાન સાધ્યું હતું. મમતાએ કહ્યું કે આ સૂચિત ખરડો બંગાળી અને હિન્દુઓને દેશના કાયદેસર નાગરિક તરીકે બાકાત રાખવા રાષ્ટ્રીય નાગરિક નોંધણી જેવી બીજી એક 'જાળ' છે.
2021 માં ફરી સત્તા પર આવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
બેનર્જીએ ભાજપ પર 'કેન્દ્રીય દળોનો ઉપયોગ કરીને અને મતો ખરીદવાનો' આરોપ લગાવ્યો હતો.પશ્ચિમ બંગાળમાં લોકસભાની 18 બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો હતો અને 2021 ની વિધાનસભાની ચૂંટણીમાં તે 'બંગાળને જીતવાના દિવાસ્વપ્ન' જોઇ રહ્યા છે. ભારત-બાંગ્લાદેશ સરહદે કૂચબહાર જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોની બેઠકને સંબોધન કરતાં, બેનર્જીએ 2021 માં સતત ત્રીજી વાર સત્તા પર પાછા ફરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આંતરીક ઝઘડા હું સહન નહીં કરું : મમતા
તૃણમૂલ કોંગ્રેસના વડાએ કહ્યું કે, 'હું મારા પક્ષમાં આંતરીક ઝઘડા સહન કરીશ નહીં. જે લોકો ઝઘડો કરે છે તે તેને નબળું કરી રહ્યા છે. જે લોકો ભાજપના સંપર્કમાં છે તેઓ પાર્ટી છોડવા માટે સ્વતંત્ર છે. જે અમને વિશ્વાસઘાતી લોકોથી છૂટકારો મેળવવામાં મદદ કરશે. તૃણમૂલ કોંગ્રેસમાં કોઇ જૂથબંધી થશે નહીં. તમારે (પક્ષના કાર્યકર) લોકો સુધી પહોંચવું પડશે અને તેમની જરૂરિયાત સમયે તેમની સાથે ઉભા રહેવું પડશે. હું તમને ક્યારેય તમારી વચ્ચે લડવા નહીં દઉં અને પાર્ટીને તેનું નુકસાન ભોગવવા દઈશ. '
ઓવૈસી કર્યો પલટવાર
તે જ સમયે, મમતાના નિવેદન પર, ઓવૈસીએ પ્રતિક્રિયા આપી, "મારી સામે આવા આક્ષેપો કરીને તમે બંગાળના મુસ્લિમોને સંદેશ આપી રહ્યા છો કે રાજ્યમાં ઓવૈસીની પાર્ટી ઝડપથી ઉભરી રહી છે." મમતા બેનર્જી આવા નિવેદનોથી પોતાનો ડર અને હતાશા બતાવી રહ્યા છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં અમે અમારા ઉમેદવાર ઉભા કરીશું. અમે એ ટીમ છીએ. અમને ભાજપની બી ટીમ કહેવું ખોટું છે.