મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Chief Minister Arvind Kejriwal) એ પોતાના બીજા કાર્યકાળના વિભાગો માટેની વહેંચણી કરી દીધી છે. પ્રાપ્ત જાણકારી મુજબ, દિલ્હી જળ બોર્ડ (Delhi Water Board) ની જવાબદારી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain) ને આપવામાં આવી છે. મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની પાસે કોઇ વિભાગ નથી રાખ્યો.
CM કેજરીવાલના બીજા કાર્યકાળના વિભાગોની વહેંચણી કરવામાં આવી
દિલ્હી જળ બોર્ડની જવાબદારી સત્યેન્દ્ર જૈનને આપવામાં આવી
મુખ્યમંત્રી કેજરીવાલે પોતાની પાસે કોઇ વિભાગ નથી રાખ્યો
જ્યારે ગોપાલ રાયને પર્યાવરણ વિભાગ સોંપવામાં આવ્યો છે. આ વિભાગ પહેલા કૈલાશ ગહલોતના હેઠળ હતો. આ પ્રકારે મહિલા અને બાળ વિકાસ વિભાગની જવાબદારી રાજેન્દ્ર પાલ ગૌતમને આપવામાં આવી છે. આ વિભાગ પહેલા મનીષ સિસોદિયા પાસે હતો. પટપડગંજથી ધારાસભ્ય મનીષ સિસોદિયા આ કાર્યકાળમાં પણ નાયબ મુખ્યમંત્રી રહેશે અને તેમની પાસે પહેલાની જેમ શિક્ષણ મંત્રાલય રહેશે.
રવિવારે અરવિંદ કેજરીવાલે ત્રીજીવાર CM પદના શપથ લીધા
રામલીલા મેદાનમાં રવિવારે અરવિંદ કેજરીવાલે ત્રીજી વાર દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમની સાથે મનીષ સિસોદિયા, ગોપાલ રાય, ઇમરાન હુસૈન, સત્યૈન્દ્ર જૈન, રાજેન્દ્ર પાલ ગૌતમ અને કૈલાશ ગહલોતે પણ મંત્રી પદના અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ દરમિયાન રામલીલા મેદાનમાં એક લાખ જેટલા લોકો હાજર હતા.
આમ આદમી પાર્ટીને પ્રચંડ જીત મળી
દિલ્હીની જનતાએ ત્રીજીવાર કેજરીવાલની આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતીની સાથે સરકાર બનાવવાની તક આપી છે. આ વખતે તમામ પ્રયાસો છતા આમ આદમી પાર્ટી ભાજપનો સાફ કરવામાં સફળ રહી. આપ પાર્ટીએ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ચૂંટણી લડી અને 70માંથી 62 બેઠકો પર જીત નોંધાવી. જ્યારે ભાજપને 8 બેઠકો પર જ સંતોષ માનવો પડ્યો.