રાજસ્થાનના મંત્રી મંડળમાં ફરી એકવખત ભૂકંપ આવવાની તૈયારી છે તેમ લાગી રહ્યું છે.
કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે આરોપ મુક્યો છે કે ભાજપ ફરી એક વખત સરકાર તોડવાની ખેલ શરુ કરી ચૂક્યું છે.
મહારાષ્ટ્રમાં પણ સરકાર તોડવાની ચર્ચા ચાલી રહી છે: ગેહલોત
અશોક ગેહલોતે કોંગ્રસના કાર્યકતાઓને સંબોધિત કરીને કહ્યું કે કોંગ્રેસમાં સરકાર પાડવાની શરુ થઇ ગઈ છે, મહારાષ્ટ્રમાં પણ સરકાર તોડવાની ચર્ચા ચાલી રહી છે. ગેહલોતે કહ્યું છે કે ભાજપ તરફથી આ પહેલા પણ સરકાર તોડવાની કોશિશ થઇ ચુકી છે જેના સાક્ષી કોંગ્રેસના નેતા અજય માકન રહી ચુક્યા છે.
અમિત શાહ અમારા ધારાસભ્યો સાથે બેસીને ચા-નાસ્તો કરાવતા હતા
અશોક ગેહલોતે દેશના ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે અમારા ધારાસભ્યો સાથે બેસીને તેઓને ચા-નાસ્તો કરાવતા હતા અને તેઓને કહેતા હતા કે પાંચ સરકારને તોડી ચુક્યા છીએ, છઠ્ઠી પણ તોડી નાખીશું. ધર્મેન્દ્ર પ્રધાન તેમનું મનોબળ વધારવા માટે ન્યાયાધીશો સાથે વાતચીત કરવાની વાત કરી રહ્યા હતા. ગેહલોતે કહ્યું કે અમિત શાહ એક કલાક માટે અમારા ધારાસભ્યોને મળ્યા હતા.
રાજસ્થાનની જનતા ઇચ્છે છે કે સરકાર પડી ન જાય
તેમણે કહ્યું કે, સમગ્ર રાજસ્થાનની જનતા ઇચ્છે છે કે સરકાર પડી ન જાય. રાજ્યના લોકો કોંગ્રેસના ધારાસભ્યોને ફોન કરીને કહે છે કે હવે સરકાર ન પડી જાય. લોકો કહે છે કે ભલે બે મહિનાનો સમય થાય તો પણ સરકાર ન પડવી જોઈએ.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભાજપના બહાને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને નિશાન બનાવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનમાં ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવશે, આવા કિસ્સામાં સચિન પાયલટનું નામ લીધા વિના હુમલા કરવામાં આવી રહ્યા છે.
ભાજપનો પ્રતિ આક્ષેપ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આ આરોપ પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતિષ પુનિયાએ પણ નિવેદન આપ્યું છે. પુનિયાએ કહ્યું કે અશોક ગેહલોત શાસન ચલાવવામાં અસમર્થ છે, તેથી ખોટા અને તથ્યહીન આક્ષેપો કરે છે. કોંગ્રેસની અંદર આંતરિક ઝઘડો થયો છે જેના કારણે નેતાઓ નારાજ છે, આ માટે ભાજપ પર કોઈ પુરાવા વગર આરોપ લગાવીને ભાજપ પર પ્રહાર કર્યા કરે છે.