પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કેટલાય દિગ્ગજોનો હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં ખુદ મુખ્યમંત્રી પોતાની સીટ હારી ગયા હોય તેવું પણ બન્યું છે.
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ
આ ચૂંટણીમાં કેટલાય દિગ્ગજો પણ હાર્યા
મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી પદના ઉમેદવારો પણ હાર્યા
ભલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ભાજપને પ્રચંડ બહુમત તરફ લઈ જઈ રહ્યા હોય, પણ તે પોતે પોતાની સીટ ખટીમા વિધાનસભાથી હારી ગયા છે. ઉત્તરાખંડમાં ભાજપની બહુમત સાથે થઈ રહી છે. રાજ્યના ઈતિહાસમાં પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે કે, કોઈ પાર્ટી સતત બીજી વાર સરકાર બનાવા જઈ રહી છે, પણ હાલના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના હાથમાં નિરાશા લાગી છે. ખટીમા સીટથી ધામીને ભૂંડી હારનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને કોંગ્રેસના ભુવન કાપડીએ છ હજાર મતોથી હરાવ્યા છે.
ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામી પણ હાર્યા
ભુવન ચંદ કાપડી યુવાન નેતા છે અને રાજ્યમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ છે. યુવાનોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય ભુવન ચંદ કાપડી ઉત્તરાખંડ યુથ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. તેઓ ઉત્તરાખંડ પ્રદેશ કોંગ્રેસમાં જનર સેક્રેટરીના પદ પર પણ રહી ચુક્યા છે. ભુવન કાપડીએ 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ પુષ્કર સિંહ ધામીને ખૂબ ટક્કર આપી હતી. ત્યારે કાપડી ફક્ત 2709 વોટથી હાર્યા હતા. ભુવન કાપડીને 26, 830 વોટ મળ્યા હતા. જ્યારે પુષ્કર સિંહ ધામીને 29,539 વોટ મળ્યા હતા.
ઉત્તરાખંડમાં હરીશ રાવત પણ હાર્યા
ઉત્તરાખંડની લાલકુઆ વિધાનસભા સીટ પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતરેલા પૂર્વ સીએમ અને પાર્ટીના દિગ્ગજ નેતા હરીશ રાવત પણ ચૂંટણી હારી ગયા છે. તેમના નજીકના હરીફ ભારતીય જનતા પાર્ટીના ડો. મોહન સિંહ બિષ્ટે હરીશ રાવતને લગભગ 14000 વોટોથી હરાવી દીધા હતા. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત સાતમા રાઉન્ડની મતગણતરીમાં લગભગ 11 હજાર વોટથી પાછી ચાલી રહ્યા હતા. આ દરમિયાન હરીશ રાવત તરફથી મતગણતરી સ્થળ પર તૈનાત કોંગ્રેસ પાર્ટીના એજન્ટે પણ આશા છોડતા દેખાઈ રહ્યા હતા.
પંજાબના મુખ્યમંત્રી ચન્ની બંને સીટ પરથી હાર્યા
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્ની ખુદ ચમકૌર સાહિબ અને ભદૌર વિધાનસભા સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ ચરણજીત સિંહ ચન્નીને સીએમ પદના ઉમેદવાર ઘોષિત કરીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.
કોહલીએ કેપ્ટનને હરાવ્યા
કોંગ્રેસમાંથી અલગ થયા બાદ પોતાની પાર્ટી બનાવીને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને પંજાબ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. અમરિંદર સિંહને પટિયાલા શહેરી વિધાનસભા સીટથી 19797 વોટથી હાર મળી છે અને તેમને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીતપાલ સિંહ કોહલીએ હરાવ્યા છે.
સીએમ પદમાંથી હટાવ્યા બાદ બનાવી હતી પાર્ટી
ગત વર્ષે સપ્ટેમ્બરમાં કોંગ્રેસ દ્વારા પંજાબના મુખ્યમંત્રી પદેથી હટાવ્યા હાદ કેપ્ટન અમરિંદર સિંહે પોતાની પાર્ટી બનાવી હતી. ત્યાર બાદ કેપ્ટનની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીએ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું.
કેપ્ટન અમરિંદર સિંહને પોતાના ગઢમાં જ મળી હાર
કેપ્ટન અમરિંદર સિંહને પોતાના જ ગઢમાં હારનો સામનો કરવો પડ્યો છે અને અંતે પટિયાલા શહેરી સીટ પર કોંગ્રેસનો કબ્જો કર્યો છે. પટિયાલા સીટથી કેપ્ટન અમરિંદર સિંહ ચાર વાર (2002, 2007, 2012 અને 2017) જીત નોંધાવી હતી.