જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં રવિવારે સુરતની બસને અકસ્માત નડ્યો હતો. વૈષ્ણોદેવી દર્શન ગયેલા ગુજરાતીઓની બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત 2ના મોત અને 24 ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ સુરતની બસ પલટી મામલે મુખ્યમંત્રી રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું. મુખ્યમંત્રીએ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરાવી હતી. જ્યારે 2 લોકોના મોત બાબતે મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું.
આ દુર્ઘટના જમ્મૂ-પઠાનકોટ રાજમાર્ગ પર બની જ્યારે માં વૈષ્ણોદેવીના દર્શનાર્થે બસ શ્રદ્ધાળુઓને લઇને જઇ રહી હતી. તે દરમિયાન એક ડિવાઇડર સાથે અથડાતા બસ પલટી ગઇ હતી. જેને લઇને આ દુર્ઘટના સર્જાઇ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બે ઇજાગ્રસ્તોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે 24 ઇજાગ્રસ્તોમાંથી 18ને જમ્મૂના સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.