પંજાબના CMને હરાવનાર લાભસિંહ મોબાઈલની દુકાનમાં કામ કરે છે. બાઈક લઈને ચૂંટણી પ્રચાર કરી સૌથી મોટી જીત મેળવી
‘આમ આદમી’થી હાર્યા પંજાબનાં મુખ્યમંત્રી
લાભ સિંહ સામે 26 હજાર મતથી ચન્ની હાર્યા
મોબાઈલની શોપમાં કામ કરે છે લાભ સિંહ
દેશમાં 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયાં. જેમાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ પ્રથમ વખત સંપૂર્ણ બહુમત સાથે જીત હાંસિલ કરીને ઈતિહાસ રચ્યો છે. પરંતુ આ જીતની સાથે-સાથે એક વ્યક્તિ ખુબ ચર્ચામાં આવી છે. અને તે વ્યક્તિ એક આમ આદમી એટલે કે, લાભસિંહ છે.. જેમણે પંજાબની ભદૌર વિધાનસભા સીટ પરથી જીત હાંસિલ કરી છે.. અને તે પણ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને હરાવીને..
નવાઈની વાત અહીં એ છે કે, આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાભસિંહ એક ગરીબ પરિવારમાંથી આવે છે. લાભસિંહ ખુદ મોબાઈલની દુકાનમાં કામ કરે છે. જ્યારે તેની માતા સરકારી સ્કૂલમાં સફાઈકર્મી તરીકે અને પિતા મજૂરી કરે છે. તેમનો પરિવાર માત્ર 2 ઓરડાના મકાનમાં રહે છે.. જોકે આમ આદમી પાર્ટીએ થોડા વર્ષો પહેલા પંજાબમાં પગ મુક્યો ત્યારથી જ લાભસિંહ રાજનીતિમાં સક્રિય બન્યો હતો.. જેમાં તેણે સૌથી પહેલા પોતાના વિસ્તારના ઈન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવી, ત્યાર પછી બ્લોક પ્રમુખ અને સર્કિલ પ્રમુખની પણ જવાબદારી નિભાવી.. અંતે આમ આદમી પાર્ટીએ લાભસિંહને વિધાનસભા ચૂંટણીનો ઉમેદવાર બાનાવ્યો.. અને એક મોટરસાઈકલ પર પ્રચાર કરી, કરોડોપતિ કહેવાતા પંજાબના મુખ્યમંત્રીને હરાવ્યા..
લાભ સિંહના માતા સરકારી સ્કૂલમાં સફાઈકર્મી છે અને પિતા મજૂરી કરે છે
2 ઓરડાવાળા ઘરમાં રહે છે લાભ સિંહનો પરિવાર
થોડા વર્ષો પહેલા લાભસિંહ આમ આદમી પાર્ટીમાં થયો હતો સક્રિય
પહેલા ઇન્ચાર્જ અને પછી બ્લોક પ્રમુખનો હોદ્દો મેળવ્યો
ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે
2014માં ખરીદેલી હીરો હોંડા બાઈક પર કર્યો ચૂંટણીનો પ્રચાર
પંજાબના મુખ્યમંત્રીને હરાવી રચ્યો ઈતિહાસ
આમ આદમીને લલકારવાનું બંધ કરો: સીએમ કેજરીવાલ
આજે દેશની જનતાએ કહી દીધું કે કેજરીવાલ આતંકવાદી નથી કેજરીવાલ દેશનો સાચો સપૂત છે કેજરીવાલ દેશ ભક્ત છે. હું વારંવાર કહું છું કે આમ આદમીને લલકારવાનું બંધ કરો જે દિવસે તે ઊભા થઈ ગયા મોટા મોટા ઈકલાબ આવી જશે મોટી મોટી ખુરશીઓ ડગમગી જશે. હવે દેશના લોકો પોતાની તાકાતને જાણે હવે દેશની અંદર ઈકલાબ લાવવો પડશે. 75 વર્ષ આપણે ખરાબ કરી નાખ્યા હવે બહુ થયું..