દિલ્હી બાદ આમ આદમી પાર્ટીએ ગોવામાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની કરી જાહેરાત કરી છે.
ગોવાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર
આમ આદમી પાર્ટીએ કરી જાહેરાત
અમિત પાલેકર મુખ્યમંત્રી પદના ઉમેદવાર
વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે જેને લઇને આમ આદમી પાર્ટી વિવિધ રાજ્યોમાં ચૂંટણીને લઇને તૈયારીમાં વ્યસ્ત બન્યુ છે. ત્યારે હવે દિલ્હી બાદ ગોવામાં આમઆદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગોવાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે અમિત પાલેકરના નામની જાહેરાત કરી છે.
શું કહ્યુ અરવિંદ કેજરીવાલે
અરવિંદ કેજરીવાલે ગોવાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે જાહેરાત કરતા જણાવ્યુ કે અમિત વ્યવસાયે વકીલ છે.. તેઓ ભંડારી સમુદાયમાંથી આવે છે. તેમણે કોરોના કાળ દરમિયાન દરેક સમુદાયની ઘણી મદદ કરી છે. કોરોનાની બીજી લહેરમાં જ્યારે ગોવામાં ઓક્સિજનની અછત ઉભી થઇ હતી જેનાથી લોકોના મોત થયા હતા તે દરમિયાન અમિત પાલેકરે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરીને કોર્ટને હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ જણાવ્યુ કે ગોવામાં ભંડારી સમુદાયના લોકોને પ્રગતિથી વંચિત રાખવામાં આવ્યા છે.
કેજરીવાલે અન્ય પાર્ટીઓ પર તંજ કસતા જણાવ્યુ હતુ કે ગોવાની જનતા હાલની પાર્ટીઓથી ત્રસ્ત થઇ ગઇ છે. ગોવાના લોકો બદલાવ ઇચ્છી રહ્યા છે. જો કે તે લોકો પાસે કોઇ ઓપ્શન ન હતા પરંતુ હવે આમ આદમી પાર્ટી આવી ગઇ છે. મને પુરો વિશ્વાસ છે કે અમિત પાલેકરને ગોવાની જનતા સપોર્ટ કરશે. આમ આદમી પાર્ટીને એક ચાન્સ જરુર આપશે.