રાજ્ય સરકાર દ્વારા કુપોષણ સામે મહાઅભિયાન ચલાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ અભિયાનને જન આંદોલન બનાવવાનું આહ્વાન CMએ કર્યું હતું. આ કાર્યક્રમમાં 'એક પાલક-એક બાળક' બાળકોની જવાબદારી ઉઠાવવા આહ્વાન અપાયું હતું. આ સાથે જ આગામી એક વર્ષમાં રાજ્યને કુપોષણમુક્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. રાજ્યમાં વધતા કુપોષણના આંકડાને લઈને આજે CMએ નિવેદન આપતાં કહ્યું છે કે સરકાર 3000 કરોડનો ખર્ચ કુપોષણ પાછળ કરે છે અને રાજકોટના તમામ બાળકો તંદુરસ્ત બને તે માટેનો નિર્ધાર કરાયો છે. જાન્યુઆરી 2021માં સરકાર પોતાનો લક્ષ્યાંક પૂરો કરવાની તૈયારી કરી રહી છે.
રાજ્યમાં કુપોષણના વધતા આંકડાને લઈને CMનું નિવેદન
સરકાર 3000 કરોડ રૂ.નો ખર્ચ કુપોષણ પાછળ કરે છે
રાજ્ય સરકારે કુપોષણ સામે લડવા પાલક વાલી કાર્યક્રમ કર્યો
CMએ નિવેદનમાં કહી આ વાતો
તેઓએ કહ્યું કે બીજા લોકોને પણ આમાંથી પ્રેરણા મળશે. હું તમામ ડૉકટર મિત્રોને પણ ધન્યવાદ આપું છું. ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધી રહ્યું છે અને સાથે જ કુપોષણ આપણા માટે મોટી ચેલેન્જ છે. રાજ્ય સરકારે કુપોષણ સામે લડવા પાલક વાલી કાર્યક્રમ કર્યો. જેના કારણે 145માંથી 15 કુપોષણમાંથી બહાર નીકળી પોષિત બન્યા. સરકાર 2 વર્ષ સુધી ગુજરાત પોષણ અભિયાન ચલાવશે અને બાળકોને પોષણ યુક્ત બનાવવાનો લક્ષ્યાંક પૂરો કરવામાં સફળતા મેળવશે.
સુરતમાં કુપોષિત બાળકોની સંખ્યા વધી
2019માં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. 2018માં 1484, વર્ષ 2019માં 3084 બાળકો કુપોષિત નોંધાયા હતા. આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. મનપાની 1002 આંગણવાડીમાં 26267 બાળકો કુપોષિત રહ્યા હતા. 1 વર્ષમાં 1600 જેટલા કુપોષિત બાળકોની સંખ્યા વધી. લિંબાયતમાં સૌથી વધુ 601 કુપોષિત બાળકો વધ્યા, વરાછામાં 227, અઠવા 304, ઉધના 177 કુપોષિત બાળકો વધ્યા, રાંદેર 208, કતારગામ ઝોનમાં 255 બાળકોની સંખ્યા વધી.