ઉત્તરાખંડ પછી ભાજપ માટે વધુ એક રાજ્યમાં રાજકીય સંકટ વધી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. હવે કર્ણાટકમાં પણ મુખ્યમંત્રી બદલવાની માંગણી થવા લાગી છે.
ભાજપ આલાકમાન ત્રણ રાજ્યોમાં CM બદલશે : MLA યતનાલ
હવે કર્ણાટકમાં ઉઠી મુખ્યપ્રધાનને બદલવાની માંગણી
વધુ એક રાજ્યમાં ભાજપ માટે રાજકીય સંકટના સમાચાર
મહત્વનું છે કે હજુ થોડા સમય પહેલા જ ઉત્તરાખંડમાં ભાજપ આલાકમાન દ્વારા નેતૃત્વ પરિવર્તનનેર મંજૂરી આપવામાં આવી હતી, અને મુખ્યમંત્રી ત્રિકમસિંહ રાવતની જગ્યાએ તીરથસિંહ રાવતને નવા મુખ્યમંત્રી તરીકે નિમણૂંક આપવામાં આવી હતી. જો કે હવે વધુ એક રાજ્યમાં ભાજપ માટે રાજકીય સંકટના સમાચાર સામે આવી રહ્યા છે, દક્ષિણ ભારતના પ્રમુખ રાજ્ય ગણાતા કર્ણાટકમાં હવે ભાજપના સીએમ યેદિયુરપ્પાને બદલવાની માંગણી ભાજપના જ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.
મુખ્યપ્રધાન બદલવાની કરી માંગણી
કર્ણાટકમાં સીએમ બદલવાની માંગણી ભાજપના ધારાસભ્ય બંસગોડા પાટિલ યતનાલ દ્વારા કરવામાં આવી છે, તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં મુખ્યમંત્રી બદલાશે આ વાત 100 ટકા નિશ્ચિત છે, નહીં તો આ મુખ્યમંત્રી સાથે આગામી વિધાનસભાની ચૂંટણી લડવી મુશ્કેલ થઈ પડશે, તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય સચિવ અરુણ સિંહને આ વાત અંગેની જાણકારી છે પણ તે માત્ર એમ જ કહી રહયા છે કે સીએમ બદલવાની કોઈ જ યોજના નથી.
ભાજપ ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે હું પ્રજાનો સેવક છું, અને ઈચ્છું છું કે કર્ણાટકમાં આગામી 10 થી 20 વર્ષ સુધી ભાજપના મુખ્યમંત્રી બનેલા રહે, હું આ રાજ્યમાં ભાજપના ભવિષ્ય માટે લડી રહ્યો છું, હું નથી ઈચ્છતો કે યેદિયૂરપ્પા દક્ષિણ ભારતના છેલ્લા ભાજપ ધારાસભ્ય બને, હું માત્ર વાજપેયી અને નરેન્દ્ર મોદીના આદર્શોને માનું છું અને પીએમ મોદીના આદર્શોથી કોઈ સીએમ બને એમ જ ઈચ્છું છું.
બદલાશે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ
કર્ણાટકના ભાજપ ધારાસભ્ય બંસગોડા પાટિલ યતનાલે કહ્યું હતું કે મને માહિતી છે કે આગામી અમુક સમયમાં ભાજપનું હાઇકમાંડ ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાનોને બદલવાની દિશામાં કામ કરી રહ્યું છે, હાલમાં જ ઉત્તરાખંડમાં આ કામ થયું છે અને હવે હરિયાણા અને કર્ણાટકનો વારો છે.