105 કિલો ચાંદીથી CMની રજત તુલા કરાઇ, અચાનક દિલ્હી બેઠકમાં જવાનું થયું હોવાથી કાર્યક્રમમાં સી આર પાટીલ વર્ચ્યુઅલી જોડાયા હતા
ઉપલેટામાં CMની રજત તુલા
લોકફાળો એકત્ર કરી કરાઈ રજત તુલા
કાર્યક્રમમાં પાટીલ વર્ચ્યુઅલી જોડાયા
રાજકોટના ઉપલેટામાં શ્રી ગોકુળ ગૌ સદન તથા વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટના ઉપક્રમે ‘રજત તુલા સમારોહ’માં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલની 105 કિલો ચાંદીથી રજત તુલા કરવામાં આવી હતી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયા હતા.
Live: શ્રી ગોકુળ ગૌ સદન તથા વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટના ઉપક્રમે ‘રજત તુલા સમારોહ’માં માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને માન. ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની ગરિમામય ઉપસ્થિતિ. સ્થળ: ઉપલેટા, રાજકોટ https://t.co/0EASJ4QfKt
રાઘવજી પટેલ એક ખેડૂત છે જે કામ હોય તે કઢાવી લેજો - CM
કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં કહ્યું હતું કે PM મોદીએ જળસંચયનો મંત્ર આપ્યો છે ત્યારે ઉપલેટામાં જળસંચયનો વિશિષ્ટ કાર્યક્રમ છે. સાથે જ તેમણે પ્રાકૃતિક ખેતી તરફ પણ પ્રાધાન્ય આપવા સૂચન કરતાં કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરવાનો આગ્રહ રાખવો જોઇએ. રાસાયણિક ખાતરોના ઉપયોગથી નુકસાન થાય છે. જમીન અને મનુષ્યના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી જરૂરી છે. સાથે જ ખેડૂતો માટે નવી સરકારે કરેલા કામોને લોકો સમક્ષ મૂકી કહ્યું હતું કે નવી સરકાર બન્યા બાદ ટીમે સારા કામ કર્યા છે. આપના ખેડૂત લક્ષી કામ માટે સરકારે તમને રાઘવજી આપ્યા છે. તેઓ પોતે એક ખેડૂત છે જે કામ હોય તે કઢાવી લેજો. છોડતા નહીં..
વિકસિત અને શક્તિશાળી ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ હરેક સમાજની પડખે – મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ તકે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સૂચન કરતાં મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે અનેક રોગોના મૂળમાં રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતાખેત પેદાશ જવાબદાર છે ત્યારે આરોગ્યપ્રદ સમાજ ઉભો કરવા પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ આવશ્યક છે.રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક કૃષિને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે અને તે ઉત્પાદનને ખરીદનાર યોગ્ય બજાર પણ ગુજરાતમાં ઉપલબ્ધ બની રહ્યું છે.