2022ની ચૂંટણીને લઈને ભાજપે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના નેતાઓ સાથે મુલાકાત લેશે. સાંજે 6 વાગ્યે તેઓ ગાંધીનગર ખાતે મુલાકાત લેવાના છે.
CM ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના નેતાઓ સાથે લેશે મુલાકાત
સાંજે 6 વાગ્યે ગાંધીનગર ખાતે મુલાકાત લેશે
2022ની તૈયારીઓ ભાજપે અત્યારથી શરૂ કરી દીધી
ગુજરાતમાં 2022ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ છે. ભાજપ દ્વારા મુખ્યમંત્રી પણ પાટીદાર સમાજના બનાવામાં આવ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના વડાઓને મળવાના છે. સાંજના 6 વાગ્યે તેઓ ગાંધીનગરમાં પાટીદાર સમાજના નેતાઓ સાથે મુલાકાત લેવાના છે.
ચૂંટણી પહેલા પાટીદાર સમાજ ફરી એકમંચ પર
આ મુલાકાત ભાજપ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે ઘણી ખાસ રહેશે. કારણકે આ મુલાકાતની અસર આવનારી ચૂંટણી પર જોવા મળી શકે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે 2022ની ચૂંટણી પહેલાજ પાટીદાર સમાજને ફરી એકમંચ પર ભેગો કર્યો છે.
ધાર્મિક સામાજિક સંસ્થઓના વડા સાથે મુલાકાત
આ મુલાકાતમાં પાટીદાર સમાજના ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓના વડાઓ સાથે મુખ્યમંત્રી મુલાકાત લેશે. જેમા ખોડલ ધામ તેમજ ઉમિયા ધામના ટ્રસ્ટ આગેવાનો સાથે તેઓ મુકાલાત લેવાના છે. સમગ્ર મુદ્દે પાટીદાર સમાજમાં અત્યાર સુધી મળેલી બેઠકોને લઈને ખાસ વાતચીત કરવામાં આવશે. સાથેજ સમાજના હિતને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં મળશે
ઉલ્લેખનીય છે કે સાંજે 6 વાગે ગાંધીનગરમાં આ બેઠક યોજાવાની છે. જેમા પાટીદાર સમાજના આગેવાન સહિત ધાર્મિક અને સામાજિક સંસ્થાના વડા સાથે મુખ્યમંત્રી મુલાકાત લેશે. જેમા તેઓ ખોડલધાનમા નરેશ ભાઈ , ઉંઝા ઉમિયાધામના મણીભાઈ મમ્મી , બાબુ જમના પચેલ, સીદસર મંદિરના જયરામ પટેલ, ઉંઝા મંદિરના દિલીપ ભાઈ, સોલા ઉમિયા કેમ્પસના વાસુદેવ પટેલ અને ખોડલધામના દિનેશ કુંભાણી સાથે મુલાકાત લઈ શકે છે.