મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે, નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુરુવારે 22મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે
મુખ્યમંત્રી સાંભળશે લોકોની રજૂઆત
‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે
22 ડિસેમ્બરે ગાંધીનગરમાં ‘સ્વાગત’ કાર્યક્રમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ સરકાર એક્શનમાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ એક બાદ એક વિવિધ નિર્ણયો લઈ રહ્યાં છે. ત્યારે 22 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોની રજૂઆત સાભંળશે. આ માટે ગાંધીનગરમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુરુવારે 22 ડિસેમ્બરે ગાંધીનગરમાં આ કાર્યક્રમ યોજાશે.
મુખ્યમંત્રીનો 'સ્વાગત' કાર્યક્રમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે બીજીવાર પદ સંભાળ્યા બાદ આગામી ગુરુવારે, 22મી ડિસેમ્બર 2022ના રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે.
મુખ્યમંત્રી સાભંળશે લોકોની રજૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા 'સ્વાગત' - સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ ધપાવી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ગુરુવારે તા 22મી ડિસેમ્બરે બપોરે ૩ કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષ,સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાનારા રાજ્ય 'સ્વાગત' કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે, નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુરુવારે 22મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે
CM ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ હવે એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ પણ તમામ મંત્રીઓને નવી યોજના, હયાત યોજનાઓના અમલીકરણ પર ભાર મુકી વિઝન ડોક્યુમેન્ટ સંદર્ભે જે તે મંત્રીઓના વિભાગમાં કામગીરી શરૂ કરવા તાકીદ કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય આપ્યુ.
મહેસુલ વિભાગનો મોટો નિર્ણય લીધો હતો
ભ્રષ્ટાચારીઓ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કાર્યવાહી કરવા મોટો નિર્ણય કર્યો હતો. મહેસૂલ વિભાગનો ચાર્જ સંભાળતા જ CM ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો હતો. તાકેદારી આયોગના સંદર્ભના કેસોની કાર્યવાહી થશે. તેમજ પડતર કેસોમાં કાર્યવાહી કરવા માટે મહેસૂલ વિભાગે પરિપત્ર કર્યો હતો. પડતર કેસની વિગતો કોમ્પ્યુટરાઈઝ કરવા સૂચન અપાયા હતી.