મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભરૂચના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ 134 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 3 જિલ્લાના પ્રવાસે
સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભરૂચના કાર્યક્રમોમાં રહેશે ઉપસ્થિત
134 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ
CM ભૂપેન્દ્ર પટેલ આજે 3 જિલ્લાના પ્રવાસે છે. જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભરૂચના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. CM ભૂપેન્દ્ર પટેલ આજે વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આજે સવારના 10 વાગ્યે સુરેન્દ્રનગરના પાટડીના કાર્યક્રમમાં CM ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી 134 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. રૂ. 3.64 કરોડના ખર્ચે નિર્મિત સુરજમલજી હાઈસ્કૂલનું CM ઉદ્ઘાટન કરશે. 4 સબ સ્ટેશન સહિત રાજ્યના 13 સબ સ્ટેશનનું CM લોકાર્પણ કરશે.
CM ભૂપેન્દ્ર પટેલ આજે 3 જિલ્લાના પ્રવાસે: સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભરૂચના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને અનેક વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત@Bhupendrapbjp#gujarat
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2022
રૂ. 881 કરોડના ખર્ચે નવનર્મિત ડીસેલિનેશન પ્લાન્ટનું CM કરશે લોકાર્પણ
અમદાવાદમાં વિરમગામ પંચાયત ભવનનું CM લોકાર્પણ કરશે. તો સાથે વિરમગામમાં અમદાવાદ જિલ્લાના પદાધિકારીઓ સાથે CM બેઠક પણ કરશે. ભરૂચ જિલ્લાના વાગરા ખાતે વિકાસ કાર્યોનું પણ CM લોકાર્પણ કરશે. રૂ. 881 કરોડના ખર્ચે નવનર્મિત ડીસેલિનેશન પ્લાન્ટનું મુખ્યમંત્રી લોકાર્પણ કરશે. તો બીજી બાજુ અંકલેશ્વર વિભાગીય કચેરીનું પણ લોકાર્પણ કરશે.
મુખ્યમંત્રીના હસ્તે MSME એકમોના સહાય ચેકનું વિતરણ પણ કરાશે.
જુઓ મુખ્યમંત્રીનો આજના દિવસનો શું છે સંપૂર્ણ કાર્યક્રમ?
CM ભૂપેન્દ્ર પટેલ આજે 3 જિલ્લાના પ્રવાસે
સુરેન્દ્રનગર, અમદાવાદ, ભરૂચમાં કાર્યક્રમમાં CM ઉપસ્થિત રહેશે
વિકાસના કામોનુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
સવારે 10 વાગ્યે સુરેદ્રનગર પાટડીમાં કાર્યક્રમ
134 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરશે