સિદસરના મા ઉમિયા મંદિરના દશાબ્દી મહોત્સવમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરના સિદસર પહોંચ્યા છે, જ્યાં સ્થાનિક પાટીદાર આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું વિશેષ રીતે સન્માન કરવામાં આવ્યું હતું.
દોઢ લાખ હિમોગ્લોબીનની પિલ્સથી CMની તુલા
સીદસર ઉમિયાધામ ખાતે અનોખું સન્માન
લોકોમાં હિમોગ્લોબીનનું સ્તર વધારવા ઉદેશ્ય
હિમોગ્લોબિનની ગોળીથી કરાઈ તુલા
સિદસર ધામ પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમિયા માતાજીનાં દર્શન કર્યા હતા. સીદસરમાં મુખ્યમંત્રીની હિમોગ્લોબિનની ગોળીથી તુલા કરાઈ હતી. CM ભૂપેન્દ્ર પટેલની 1.50 લાખ હિમોગ્લોબીન ગોળીથી તુલા કરાઈ હતી. તેના બાદ હિમોગ્લોબિનની ગોળી મહિલાઓમાં વિતરણ કરાશે.
જામનગર જિલ્લાના સિદસર ખાતે નવનિર્મિત ઉમિયાધામનું લોકાર્પણ અને રજત જયંતી દશાબ્દિ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહી સૌ દાતાશ્રીઓને સન્માનવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. pic.twitter.com/aM25iQRzMM
આ પ્રસંગે પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દવાથી જો કોઈને તોલવામાં આવ્યા હોય તો હું પહેલો માણસ છું. સાથે જ કહ્યું કે, સિદસર ઉમિયાધામના વિકાસ માટે રાજ્ય સરકારે 3 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વધુ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી હોવાની વાત પણ તેમણે ઉચ્ચારી હતી. આ સાથે જ તેમણે કહ્યુ કે, ખેડૂત અને ખેતી સાથે સંકળાયેલો આ સમાજ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પ્રાકૃતિક ખેતીની વાત કરી છે.
ઉમા કળશ યોજનાનો કરાવ્યો પ્રારંભ
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સિદસર ખાતેથી ઉમા કળશ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ રૂ.2000 કળશમાં દાન આપ્યું હતુ. આ પ્રસંગે કડવા પાટીદાર અગ્રણીઓ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા.