ગાંધીનગરમાં નવી સરકારની શપથ વિધિ માટેની તૈયારીઓ શરૂ. હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આપશે રાજીનામું
રાજ્યપાલને સોંપાશે મુખ્યમંત્રી રાજીનામું
બપોરે 12 વાગ્યે સોંપશે રાજ્યપાલને રાજીનામું
રાજીનામાં બાદ કેર ટેકર તરીકે સરકારમાં કાર્યરત રહેશે
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને લઈ આજે બપોરે 12 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલને મળી રાજીનામું સોંપશે. તેમની સાથે મંત્રીમંડળના સભ્યો પણ રાજીનામું આપી શકે છે. જોકે ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ કેર ટેકર તરીકે સરકારમાં કાર્યરત રહેશે.
શપથવિધિની તૈયારી
ગુજરાત ભાજપ દ્વારા હવે પ્રચંડ જીત બાદ સરકાર રચવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જોકે હવે આગામી દિવસોમાં ધારાસભ્ય દળની બેઠકને લઈ નિર્ણય થશે. આ સાથે પાર્ટી હાઈકમાન્ડ અને PMO સાથે ચર્ચા થશે. આ તરફ ગાંધીનગરમાં નવી સરકારની શપથ વિધિ માટેની તૈયારીના ભાગરૂપે ગાંધીનગર સચિવાલય હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અધિકારીઓ દ્વારા સ્થળનું કરવામાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ થઈ ગઈ છે. જેને લઈ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે 12 વાગ્યે રાજ્યપાલની મુલાકાત લઈ રાજીનામું આપશે. જ્યાં તેઓ સરકાર રચવાનો દાવો કરશે. આ તરફ જે શપથવિધિ માટે દિવસ નક્કી કરવામાં આવે તે જ દિવસે ધારાસભ્ય દળની બેઠક મળશે.
12 ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ
ભાજપની ભવ્ય જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જીત બાદ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા હતા. જે બાદમાં 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ હતી. જોકે અહી શપથવિધિ કયા યોજાશે તેને લઈને પણ અનેક ચર્ચાઑ હતી. પણ હવે આજે સવારે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહેશે અને 12મીએ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.