CM ભુપેન્દ્ર પટેલે દહેગામમાંની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.ચોમાસાની શરૂઆત પહેલા બનેલા તળાવોનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેની કરૌલીની મુલાકાત
કરૌલીના 3 તળાવના કામની કરી સમીક્ષા
અમૃત સરોવર યોજના હેઠળ તૈયાર થાય છે તળાવ
ચોમાસાના આગમન આડે હવે દિવસો ગણાય રહ્યા છે. ત્યારે દહેગામના કરૌલીમાં અમૃત સરોવરની CM ભૂપેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ અમૃત સરોવર યોજના હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. અને સબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. મહત્વનુ છે કે દહેગામના કરૌલીમાં ત્રણ તળાવો બનાવ્યા છે.
દહેગામના કરૌલીમાં બનેલા ત્રણ તળાવની મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધિકારીઓને સાથે રાખી ચોમાસાની શરૂઆત પહેલા બનેલા તળાવોની ઓચિંતી મુલાકાત લીધી હતી. અમૃત_સરોવર યોજના હેઠળ દહેગામના કરૌલીમાં બનેલા ત્રણ તળાવની મુલાકાત બાદ કામોની સમીક્ષા કરી હતી. બીજી બાજુ મુખ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝીટને પરિણામે મુલાકાત સ્થળે સોપો પડી ગયો હતો અને અધિકારીઓ દોડી ગયા હતા.