આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક નહીં મળે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિલ્હી પ્રવાસને લઈને કબિનેટની બેઠક રદ્દ કરવામાં આવી છે. તેથી હવે આવતીકાલે એટલે કે ગુરુવારે કેબિનેટની બેઠક યોજાઈ શકે છે.
આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક નહી મળે
CMના દિલ્લી પ્રવાસને લઈ કેબિનેટ બેઠક રદ્દ
ગુરુવારે મળી શકે છે કેબિનેટ બેઠક
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે સાંજે 5 વાગે દિલ્હી જવા રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે, PM મોદીના નિવાસસ્થાને ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે 5 વાગે દિલ્હી જવા રવાના થયા હતા. મળતી માહિતી અનુસાર, સીએમ ભૂપેન્દ્ર પટેલના દિલ્હી પ્રવાસને લઈને આજની કેબિનેટની બેઠક રદ્દ કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે ગુરુવારે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી શકે છે.
NDAના સાંસદો રહ્યા હતા ઉપસ્થિત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીતની ઉજવણી કરવા માટે દિલ્હીમાં NDAના તમામ સાંસદો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડિનરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે NDAના તમામ સાંસદોને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રીનો 'સ્વાગત' કાર્યક્રમ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે બીજીવાર પદ સંભાળ્યા બાદ આગામી ગુરુવારે, 22મી ડિસેમ્બર 2022ના રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનો-નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળશે.
મુખ્યમંત્રી સાભંળશે લોકોની રજૂઆત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેકનોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા 'સ્વાગત' - સ્ટેટ વાઈડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રૂ એપ્લિકેશન ઓફ ટેકનોલોજીની પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સફળતાપૂર્વક આગળ ધપાવી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી ગુરુવારે તા 22મી ડિસેમ્બરે બપોરે ૩ કલાકે મુખ્યમંત્રીના જનસંપર્ક કક્ષ,સ્વર્ણિમ સંકુલ-2 ખાતે યોજાનારા રાજ્ય 'સ્વાગત' કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિકો-પ્રજાજનોની રજૂઆતો સાંભળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ગુરુવારે રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે, નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુરુવારે 22મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે
ગુજરાતમાં ભાજપે 156 બેઠકો જીતી
1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી છે. કોંગ્રેસના ખાતામાં 17 અને આમ આદમી પાર્ટીના ખાતામાં પાંચ બેઠકો ગઈ છે. આ સાથે બાકીની 4 બેઠકો અન્યના ફાળે ગઈ છે.