તાપીના સોનગઢમાં ભાજપ દ્વારા દિવાળી સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. જ્યાં તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે, હું T-20 મેચ રમવા નથી આવ્યો.
હું T-20 રમવા નથી આવ્યોઃ ભૂપેન્દ્ર પટેલ
અગાઉ રૂપાણીએ T-20 મેચની વાત કરી હતી
તાપીના સોનગઢ ખાતે યોજાયો સ્નેહમિલન કાર્યક્રમ
તાપીના સોનગઢમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, અન્ય મંત્રીઓ તથા સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું હતું.
'હું T-20 રમવા નથી આવ્યો' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, હું T-20 મેચ રમવા નથી આવ્યો. હું સરળ અને સીધો માણસ છું. મારા અને તમારી વચ્ચે CM પદ નહીં આવે. હરિફાઈ કામ કરવાની હોય, કામ કરનાર વંચિત નહીં રહે. કાર્યકરોને ગાંધીનગર લાવો, તમામના કાર્ય થશે એ મારી જવાબદારી. આપણે એક છીએ અને એક જ રહીશું. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ દરેક ચૂંટણી જીત્યા. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ T20 મેચની વાત કરી હતી. અડધી પીચે T20 મેચ રમવા આવ્યાનું તેઓ કહેતા હતા.
વધુમાં ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તમારી વચ્ચેનો બેઠેલો માણસ આજે અહીં બેઠો છે. તમને કોઈને કોઇ તકલીફ ન પડે તે જોવાની જવાબદારી અમારી બધાની છે. પાર્ટી અને સરકાર ક્યાંય જુદી પડવા દઇએ. મક્કમ નિર્ધાર કે આપણે એકલા હાથે જીતવું છે, સરકારમાં પણ ડંકો વગાડી દીધો છે. નરેન્દ્ર મોદી માઇક પર જે બોલ્યા તેને જમીન પર ઉતારીને બતાવ્યું. સંગઠનનો માણસ કામ લાવે તો અમે કામ કરીશું. સંગઠન અને સરકાર સાથે ચાલે તો પરિણામ આવે તે સાથે મળીને બતાવીશું.