રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની આગવી બોલચાલને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યા છે, ગઈકાલે એક કાર્યક્રમમાં તમે લાફા નહીં મારો તેવી વાત કરી હતી ત્યારે આજે વધુ એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટકોર
મહેસાણાના અધિકારીઓને કરી ટકોર
વિકાસ બરાબર કરજો..આ મારી સાસરી છે
પૈસા હોય પણ છૂટે નહીં તો શું કામના?
મહેસાણાના સાલડી ગામમાં સમ્માન સમારોહ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે પોતાની આગવી શૈલીમાં હળવી ટીખળ કરતા અધિકારીઓને ટકોર કરી હતી.
વિકાસ બરાબર કરજો
સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસ બરાબર કરજો આ મારી સાસરી છે. આ સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે વ્યક્તિ ધર્મના માર્ગે ચાલે છે જે આગળ સુધી જાય છે. તેને કોઈ મુશ્કેલી નથી આવતી. કરોડપતિ હોય પણ રૂપિયો ન છૂટે તો શું કામનું તેવી વાત પણ તેમણે કરી હતી. તો આ સાથે જ એમપણ જણાવ્યું હતું કે, પાચીયુંય છૂટે નહીં એવા માટે મને થાય કે પૈસા ભેગા કરીને કરશે શું?
ગઈકાલે લાફા નહીં મારો તેવું આપ્યું હતું નિવેદન
ઓક્સિજન પ્લાન્ટના લોકોર્પણ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલે રમુજ કર્યો હતો. અને કહ્યું હતું કે અમારૂ મંત્રી મંડળ નવું છે. એટલે નવા નવા આવ્યા હોય એટલે બધાને ઉત્સાહ પણ હોય. મને વિશ્વાસ છે કે તમે લાફા મારવાની જગ્યાએ શીખવાડશો.
જેમ જેમ લાફા પડતાં જશે એમ ઠરતા જશે: CM ભૂપેન્દ્ર પટેલ
ભરૂચમાં ઓક્સિજન પ્લાન્ટના લોકોર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી, જે બાદ સંબોધન વખતે તેમની આગવી છટામાં એક નિવેદન આપ્યું હતું અને નવા મંત્રી મંડળને પ્રજા આવકાર આપે અને ભૂલ થાય તો લાફોમારવાની જગ્યાએ શીખવાડે તેવુ રમુજ કર્યું હતું. સીએમ પટેલના આ નિવેદન બાદ સભામાં હાસ્યની છોળો ઉડી હતી. તેમને વધુમાં કહ્યું હતું કે અમારૂ મંત્રી મંડળ નવું છે, આથી નવા હોય એટલે કામ કરવાનો ઉત્સાહ પણ વધુ હોય, અને કોઈ ભૂલ થાય તો લોકોના લાફા પડે એટલે ઠરી પણ જાય. પણ મને વિશ્વાસ છે કે તમે લાફા મારવાની જગ્યાએ શીખવાડશો, થોડી ભૂલ થાય તો રસ્તો બતાવશો.
અમે ચોક્કસ સફળ થઈશું: CM ભૂપેન્દ્ર પટેલ
મહત્વનું છે કે નવી સરકારમાં તમામ મંત્રીઑ પણ નવા છે અને થોડા બિન અનુભવી પણ છે. ત્યારે વિધાનસભા ચૂંટણી પહેલા દિવસ થોડા અને વેશ ઝાઝા જેવો ઘાટ સર્જાર્યો છે જેમઆ ગુજરાતના તમામ મંત્રીઑની અગ્નિ પરીક્ષા થવાની છે. અને આથી જ લોકોના કામ વહેલી તકે ઝડપથી આટોપવા અનેક નિર્ણય સરકાર અને મંત્રીઑ દ્વારા લેવાઈ રહ્યા છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે અમે ચોક્કસ સફળ થઈશું. કાઇ ભૂલ હોય તેને સુધારી આગળ વધીશું બસ લોકોનો આશીર્વાદની સતત જરૂર છે. સાથે જ તેમની સલાહને પણ ધ્યાને લેવામાં આવશે.