પાળીયાદ બોટાદ તાલુકાના ભાવનગર જીલ્લામાં આવેલ એક મોટું પંચાલ ધરાનું તીર્થધામ છે. ત્યારે મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખતે ભૂપેન્દ્ર પટેલ પાળીયાદ પહોંચ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બોટાદના પાળીયાદ ગામે વિસામણ બાપુની જગ્યાએ પહોંચ્યા હતા. જ્યાં તેમણે વિસામણ બાપુની જગ્યાએ દર્શન કર્યા હતા. તો પાળીયાદ જગ્યાએ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું. મહત્વનું છે કે, મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભૂપેન્દ્ર પટેલ પાળીયાદ પહોંચ્યા હતા.
આ મુલાકાત અંગે મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને લખ્યું કે, દિપાવલીના શુભપર્વે સંત, શૂરા અને દાતારની ધરતી એવા સૌરાષ્ટ્રના બોટાદ ખાતે પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા વિહળધામ, પાળીયાદ ખાતે ઠાકર વિહળાનાથના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો.
દિપાવલીના શુભપર્વે સંત,શૂરા અને દાતારની ધરતી એવા સૌરાષ્ટ્રના બોટાદ ખાતે પરમ પૂજ્ય વિસામણ બાપુ ની જગ્યા વિહળધામ,પાળીયાદ ખાતે ઠાકર વિહળાનાથના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. pic.twitter.com/NOnQE350YU
પાળીયાદ બોટાદથી 15 કિલોમીટર દુર આવેલું છે. પાળીયાદની જગ્યામાં મંદિર સાથે જ એક લાઈનમાં લક્ષ્મણ બાપુનું દેવળ, મોટા ઉન્નડ બાપુનું દેવળ, દાદા બાપુનું દેવળ, ઉન્નડ બાપુનું દેવળ અને પુજ્ય અમરા બાપુનું દેવળ આવેલું છે. દર અમાસના દિવસે પાળીયાદ ગામની શેરિયો સાંકડી પડે છે, અમાસના દિવસે હજારોની સખ્યામાં ભાવિકો પાળીયાદની જગ્યામાં ઠાકરના દર્શન માટે ઉમટી પડે છે. પાળીયાદમાં દરરોજ હજારો લોકો દર્શને આવે છે, ત્યાં દિનરાત અન્ન ક્ષેત્ર શરૂ હોય છે, પાળીયાદની જગ્યાના ગેટમાં પ્રવેશતા જ દરવાજાની અંદર સ્વયં સેવક ઉભા હોય છે, તે દર્શને આવનાર શ્રદ્ધાળુઓને મીઠો આવકાર આપે છે, પ્રસાદ લઈને જજો તેવું કહેવામાં આવે છે, ત્યાં ઉચ નીચના કોઈ ભેદભાવ નથી.