ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કર્યા બાદ કહ્યું કે આજે વિજ્યા દશમી પર્વ નિમિતે શસ્ત્રપૂજાની પરંપરાનો મને મળે લાભ મળ્યો છે.
વિજયા દશમીના પર્વ પર મુખ્યમંત્રીએ કરી શસ્ત્રપૂજા
મુખ્યમંત્રીએ વિજય પર્વની આપી શુભકામનાઓ
સત્યનો રસ્તો પકડી રાખનારનો આપ્યો સંદેશ
બુરાઈ પર અચ્છાઈની જીત સમાન આજે વિજ્યા દશમીનો પર્વ દેશ ભરમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં પણ વિજ્યા દશમીના આ પર્વની ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. મહત્વનું છે કે આ દિવસે શસ્ત્ર પૂજાનું વિશેષ મહત્વ મનાતું હોય છે ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શસ્ત્રપૂજા કરી હતી.
વિજયાદશમીના પર્વ પર મુખ્યમંત્રીએ કરી શસ્ત્રપૂજા
રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસ સ્થાને શસ્ત્રપૂજા કર્યા બાદ કહ્યું કે આજે વિજ્યા દશમી પર્વ નિમિતે શસ્ત્રપૂજાની પરંપરાનો મને મળે લાભ મળ્યો છે. સત્યને પકડી રાખીએ તો આપણો વિજય શક્ય છે. દેશની રામ રાજ્યની કલ્પના તરફ આગળ લઈ જવાનો છે, ત્યારે વિજ્યા દશમીના પર્વ નિમિતે રાજ્યમાં સૌ કોઈની સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાર્થના કરી હતી વધુમાં આજે આ પાવન અવસરે રાજ્યના તમામન નાકરીકોને શુભકામનાઓ આપતા કહ્યું કે અસત્ય પર સત્યનો,અધર્મ પર ધર્મનો તથા આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજય પર્વ વિજયાદશમીની સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું.
મુખ્યમંત્રીએ વિજય પર્વની આપી શુભકામનાઓ
મહત્વનું છે કે રાજ્યો કોરોના સંકટ બાદ પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે, કોરોના સંક્રમણ કેસમાં ઘટાડો થતા લોકોની ગાડી પાટા પર આવી રહી છે. જોકે હજુ પણ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા જોવા મળી રહી છે, ત્યારે કોવિડ ગાઈડલાઈન અને SOPના તમામ નિયમોનું પાલન કરવામાં આવે તેવું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે.