મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદને મોટી ભેટ અર્પણ કરી હતી. CMએ આજે અમદાવાદમાં રૂપિયા 50 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું.
CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદને અર્પણ કરી મોટી ભેટ
રૂ. 50 કરોડના વિકાસ પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ
વૃક્ષારોપણના કાર્યક્રમની પણ CMએ ઉજવણી કરી
CM ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રીએ શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. તદુપરાંત 'વિશ્વાસથી વિકાસયાત્રા' અંતર્ગત સ્વસહાય જૂથોને ચેક વિતરણ પણ કરવામાં આવ્યા. આ સિવાય વસ્ત્રાલમાં કોર્પોરેશનના ઓડિટોરિયમનું લોકાર્પણ કરાયું તેમજ થલતેજ વોર્ડમાં રૂ. 7 કરોડના ખર્ચે કમ્યુનિટી હેલ્થ સેન્ટરનું પણ ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
CM ભૂપેન્દ્ર પટેલે કર્યું વૃક્ષારોપણ
તદુપરાંત આજે PM મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે AMC દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે, 'PM મોદી દેશ અને દુનિયાના લોકપ્રિય નેતા છે. PM મોદીને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. પીએમ મોદીએ સેવા યજ્ઞની શરૂઆત કરી છે. PM મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા આજે તેજ ગતિએ ચાલી રહી છે. આજે મનપા 1.75 લાખ વૃક્ષો વાવશે.'
મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો કરાવ્યો પ્રારંભ
વધુમાં તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 72મો જન્મદિવસ છે. ત્યારે દેશભરમાં અલગ-અલગ જગ્યાએ PM મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અમદાવાદ દ્વારા આયોજિત વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન - મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ, અમદાવાદ દ્વારા વિશ્વના સૌથી મોટા રક્તદાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન જેવા લોકોપયોગી કાર્યકમના આયોજન બદલ સમાજના આગેવાનો અને યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા. pic.twitter.com/w5VOAvroof
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અભિયાન આયોજિત કરવા બદલ સૌ આગેવાનોને અભિનંદન પાઠવતા કહ્યું કે, 'આટલું મોટું આયોજન રક્તદાન માટે સૌપ્રથમવાર થઈ રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ સેવાના કાર્યોને જ પ્રાથમિકતા આપતા આવ્યા છે. સામાન્યમાં સામાન્ય અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચાડવા નરેન્દ્રભાઈના સતત પ્રયાસો રહ્યાં છે' એમ તેઓએ કહ્યું હતું.
PM મોદીના જન્મદિન નિમિત્તે અડાલજ ખાતે કરાયું મેડિકલ કેમ્પનું આયોજન
આ સિવાય PM મોદીના જન્મદિન નિમિત્તે છે. અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટે અડાલજ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરીને વડાપ્રધાન મોદીના જન્મની ઉજવણી કરી હતી. આ મેડિકલ કેમ્પમાં 2 હજાર 500 લોકો સારવારનો લાભ લેશે. આ સાથે મેડિકલ કેમ્પમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 250 લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું.